SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ તત્વાર્થસૂત્રને તે સ્કમાં પણ એક–એક પ્રદેશની વૃદ્ધિ થઈને, જે પાંચ રસ, પાંચ વર્ણ બે ગંધ અને ચાર સ્પર્શવાળા અગુરૂ લઘુ અવસ્થિત અને જીવપ્રદેશની સાથે એક જ ક્ષેત્રમાં અવગાહ હોય અને કર્મરૂપમાં પરિણત થવાને યોગ્ય હોય તે જ પુદ્ગલકર્મરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. એક છે અભવ્ય જીની રાશિથી અનન્તગુણ અને સિદ્ધોથી અનન્તમાં ભાગ પરમાણુ મળીને એક સ્કન્ધ (પિન્ડ)ના રૂપમાં પરિણત થયા હોય, આ સ્કાનું પરિણામ છે કે એ ઔદારિક આદિ શેષ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરવાની પણ આવી જ વિધિ કહેવામાં આવી છે. દારિક વગણના બધા સ્કન્ધ અલ્પ પ્રદેશેવાળા હોય છે . ૬ તે દારિક શરીરને યોગ્ય સ્કન્ધોની અપેક્ષા વૈકિય શરીરને મેગ્ય અન્ય પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણું અધિક હોય છે અને વૈક્રિય શરીરની અપેક્ષા આહારક શરીરને યોગ્ય કન્ય પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણ હોય છે . ૭ આહારક શરીરને યોગ્ય સ્કોની અપેક્ષા ક્રમશઃ અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ તેજસ શરીરને યોગ્ય હોય છે તેજસ શરીરના યોગ્ય સ્કન્ધાથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ ભાષાના તેમનાથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ પ્રાણાપાનના, તેમનાથી અનંત ગુણિત પ્રદેશવાળા સ્કન્ધ કર્મને યેગ્ય હોય છે જે ૮ કષાયયુક્ત જીવ દારિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, પ્રાણાપાન મન અને કર્મ વણાના ભેદથી આઠ પ્રકારનાં, પરમાણુ ઢિપ્રદેશી સ્કન્ધ આદિથીલઈને સર્વવ્યાપી અચિત્ત મહાસ્કન્ધ સુધી પુદ્ગલમાંથી જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય, મેહનીય નામ બેત્ર આયુ અને અન્તરાય કર્મવર્ગણાના અનુરૂપ સૂમ પરિણમનવાળા પુદ્ગલેને જ ગ્રહણ કરે છે, બાદર પરિણમનને યોગ્ય પુદ્ગલોને નહીં. આત્મા જ્ઞાનના આવરણમાં સમર્થ તે પુદ્ગલેને ગ્રહણ કરે છે. - જે કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. એવી જ રીતે જે દર્શન ગણને ઢાંકી દે છે તેને દર્શનાવરણ કર્મ કહેવાય છે. આવી જ રીતે જ્ઞાન વગેરે ગુણેને ઢાંકી દેવા માટે સમર્થ કર્મ પુદ્ગલની જ્ઞાનાવરણ આદિ સંજ્ઞાઓ પ્રસિદ્ધ છે. આમ આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ગલેનું એકમેક થઈ જવું બન્યું કહેવાય છે. કામણ શરીર આત્માની સાથે એકમેક થઈ રહ્યું છે, એગ અને ક્ષાયથી યુકત આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્મોને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. આથી કાર્પણ શરીર દ્વારા કર્મોગ્ય પુદગલનું ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. જેમ દી પોતાની ઉષ્ણુતાને લીધે વાટ વડે તેલ ગ્રહણ કરીને જ્યોતિના રૂપમાં પરિણત કરે છે ઠીક તેવી જ રીતે આત્મારૂપી દીવડે રાગ દ્વેષ વગેરે ગુણોના વેગથી કષાય અને ગરૂપી દીવાથી જ્ઞાનાવરણ આદિ કર્મોને ચગ્ય પુદગલ સ્કનને ગ્રહણ કરીને જ્ઞાનાવરણ આદિ કર્મોના રૂપમાં પરિણુત કરે છે. જેવી રીતે તેલથી ચળાયેલા શરીર પર તથા પાણીથી ભીંજાયેલા વસ્ત્રોમાં ધૂળ તથા રેતીના કણ ચાટી જાય છે. અને શરીર અગર વસ્ત્રને ગંદા બનાવે છે તેવી જ રીતે રાગાદિની સ્નિગ્ધતાથી (ચિકાશ) ચીકણે બનેલો આત્મા નવીન કમેને ગ્રહણ કરવાને યોગ્ય હોય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy