SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. ગુણના લક્ષણનું નિરૂપણ સૂ. ૩૦ ૧૫૯ સંબંધને સંભવ નથી. આથી સત્ય એ છે કે સ્થિતિઅંશરૂપ દ્રવ્ય ગુણે અને પર્યાયોના રૂપમાં પરિણત થતા રહે છે. ગુણ પર્યાય તેમના પરિણમન વિશેષ છે તેમનામાં જે ગુણ રૂપ પરિણામ છે તે નિર્ગુણ છે અર્થાત ગુણમાં ગુણ હોતું નથી. - શુકલ આદિ રૂપ આદિ તથા ઘટ કપાલ વગેરે ગુણે અને પર્યાયોના બીજા કોઈ ગુણ પર્યાય હોતા નથી. પરંતુ પરિણામી દ્રવ્ય દ્રવ્યને જ શુકલ વગેરે રૂ૫ વગેરે ગુણ પરિણામી થાય છે અને ઘટ કપાલ સંસ્થાન વગેરે પર્યાય પરિણામ હોય છે બંને શુકલ આદિ ગુણ રૂપ આદિના બીજા કેઈ શુક્લ આદિ હોતા નથી અને ન ઘટ આદિ આકારના બીજા કેઈ સંસ્થાન વિગેરે પર્યાય હોય છે. આ કારણે ગુણ નિર્ગુણ હોય છે. પર્યાય ગુણેથી એકાન્ત ભિન્ન નથી કારણ કે ગુણો અને પર્યાધીની કથંચિત એકતા સ્વીકારવામાં આવી છે. અત્રે એ સમજી લેવું જોઈએ કે દ્રવ્ય-યુગપદ ભાવિની શુકલ આદિ રૂપ આદિ જ્ઞાન વગેરે ગુણ પરિણતિને તથા કમ ભાવિની પિન્ડ ઘટ કપાલ વગેરે પર્યાય પરિણતિને યોગ્ય હોય છે. તે પરિણામી અને ધ્રુવ–અંશ રૂપ છે, આશ્રય છે. ઉત્પાદ અને વ્યય સ્વરૂપ રૂપ રસ ગંધ સ્પર્શ તથા જ્ઞાન દર્શન રૂપ ગુણોને તથા ઘટ કેશ આદિ રૂપ પર્યાયોને આશ્રય દ્રવ્ય છે. દ્રવ્ય જ સામાન્યાત્મક રૂપ રસ આદિ તથા જ્ઞાનાદિ ગુણના રૂપમાં તથા પિન્ડ ઘટ વગેરે પર્યાયોના રૂપમાં પરિણમન કરે છે. પછી તે તે આકારેથી નિવૃત્ત થાય છે અને દ્રવ્ય રૂપથી અવસ્થિત રહે છે. પરિણામ અને પરિણામીમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષા કથંચિત અભિન્નતા અને કથંચિત ભિન્નતા જાણવી જોઈએ. આ શુકલ આદિ રૂપ આદિ તથા જ્ઞાન આદિ ગુણાના બીજા કેઈ ગુણ નથી આથી તે નિર્ગુણ છે આમ આ વિધાન ત્યારે જ શક્ય હોઈ શકે જ્યારે ગુણ અને ગુણમાં ભેદ માનવામાં આવે. તે ભેદ કથંચિત્ જ સ્વીકારાય છે, એકાન્ત રૂપથી નહીં કારણ કે બધી વસ્તુઓ ભેદ અને અભેદ રૂપ છે. જ્યારે દ્રવ્ય જ શુકલ રસ આદિના રૂપમાં અગર જ્ઞાન દર્શન આદિના રૂપમાં પરિણત થાય છે એટલે દ્રવ્યની સાથે તાદામ્ય સંબંધ હોવાના કારણે ગુણ દ્રવ્યથી જુદાં થઈ શતાં નથી. આ પ્રકારે તેમનામાં કથંચિત્ અભિન્નતા છે. આ અભિન્નતા કેવળ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવી જોઈએ અને ગુણને નિર્ગુણ સમજવા જેઈએ. પર્યાયાર્થિક નયથી ગુણની પ્રધાનતા હેવાથી દ્રવ્યથી ગુણ કથંચિત્ ભિન્ન પણ છે. શંકા–દ્રવ્યાર્થિક નયના મતે ગુણોનું અસ્તિત્વ જ નથી તે પછી અભિન્નતા કેવી રીતે માની શકાય ? સમાધાન—દ્રવ્યાર્થિક નયના મતે પણ ગુણનું અસ્તિત્વ તે છે પણ તે દ્રવ્યથી ભિન્ન છે. દ્રવ્ય જ્યારે શુકલ રૂપમાં પરિણત થાય છે ત્યારે તેમાં નીલાકાર આદિ પરિણમન થતું નથી આથી ગુણેની નિર્ગુણતા સ્પષ્ટ જ છે. જેમ દ્રવ્યમાં ગુણ રહે છે તેમ ગુણમાં ગુણ રહેતું નથી શંખમાં સફેદાઇને ગુણ છે પણ તેની સફેદાઈમાં પુન: સફેદાઈ રહેતી નથી–તે સ્વયં શુકલતા સ્વરૂપ જ છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy