SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ તત્વાર્થસૂત્રને પરિણામ વ્યવસ્થીત હોય, તે તેમનું ત્યાં હમેશાં રહેવાનું કારણ ન ઉત્પાદ હશે, ન વિનાશ હશે. જ્યારે ઉત્પાદ અને વિનાશ થશે નહીં તે સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવાળા પરમાણુઓના પરિણમનના અભાવમાં કેવી રીતે પ્રયાણક વગેરે સ્કન્ધ પરિણામ ઉત્પન્ન થશે ? | સ્પર્શ આદિ તથા શબ્દ પરિણામવાળા સ્કંધમાં એક જ કોઈ પરિણામને નિત્ય રૂપથી અંગિકાર કરવાના કારણે શેષ સ્પર્શ આદિ તથા શબ્દ આદિ પરિણામેના અભાવમાં આપત્તિ (મુશ્કેલી આવશે. જો તમે સ્કમાં સ્પર્શ આદિ પરિણામોને અવ્યવસ્થિત કહે છે તે બધુ બરાબર છે કારણકે પૂર્વ પરિણામને ત્યાગ થવાથી ઉત્તર પરિણામને સ્વીકાર કરવામાં આવ્યું છે. સ્પર્શ આદિ ભિન્ન છે અને શબ્દ આદિ ભિન્ન છે. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સંબંધી પરિણામ વિશેષ હોય છે. આવી રીતે પરિણામ અનુસાર વસ્તુનું જ્ઞાન થઈ જશે તે આ વિષયને સિદ્ધાંત શું છે એ ખબર પડતી નથી થોડા અવ્યવસ્થિતત્વ પક્ષનો સ્વીકાર કરવાથી પણ શું સમગુણવાળા સમગુણ રૂપથી જ પરિણત થાય છે ? અગર વિષમ ગુણ રૂપથી પણ પરિણત થાય છે ? ઉત્તર-–પરમાણુઓમાં અથવા સ્કધામાં સ્પર્શ અને શબ્દાદિ પરિણામ અવસ્થિત અને અનવસ્થિત જ હોય છે કારણ કે તેઓ પરિણામી હોય છે. પરમાણુ-પુદૂગલ અગર ધ દ્રવ્ય આદિ જાતિસ્વભાવને પરિત્યાગ ન કરતા થકા બીજા સ્પર્શ આદિ ગુણ અગર શબ્દાન્તર વગેરે ગુણને પ્રાપ્ત થાય છે. પરમાણુ આદિ પુદ્ગલ સ્પર્શ આદિ સામાન્ય ત્યાગ ન કરતા થકા સ્પર્શ આદિ વિશેષને પ્રાપ્ત થાય છે. આ રીતે સ્પર્શ આદિ અવસ્થિત પણ છે અને અનવસ્થિત પણ છે. મરચું અને હિંગ વગેરે પિતાની શક્તિની પાવરધાવાળા હોવાથી પરિણામોગ્ય વસ્તુને સડેલા શાકભાજી વગેરે અગર સ્વાદિષ્ટ વગેરે રૂપથી આત્મસાત્ કરતાં જોવાય છે, કોઈ કોઈ દહીં અથવા ગોળ વગેરે પદાર્થ પરિણમન શક્તિ સ્વભાવવાળા હોવાથી એકબીજાનાં પરિણમનનાં કારણ હોય છે. પટતાની અતિશક્તિને કારણે પૂર્વવાળામાં પરિણમનની શક્તિ હોય છે. આથી એ સાબિત થયું કે સ્પર્શ આદિ શબ્દાદિ અનવસ્થિત હોય છે કારણકે તેમનામાં પરિણમન થાય છે. પ્રશ્ન–પરિણમનની વિશેષતાને કારણે ગુણવત્ત્વ અનવસ્થિત હોવા છતાં પણ બદ્ધ થનારાં બે પરમાણુ પુદ્ગલોમાં ગુણવત્ત્વ હોવાથી બે સરખા ગુણવાળા અથવા વિષમ ગુણવાળાનાં દ્વિગણ, સ્નિગ્ધ અથવા દ્વિગુણરૂક્ષને એવી જ રીતે દ્વિગુણુસ્નિગ્ધ અને ચતુર્ગુણરૂક્ષનું પરિણુમન કેવી રીતે થાય છે? શું બે ગુણ સ્નિગ્ધતાવાળા પુલ બે ગુણ રૂક્ષ પુદ્ગલને સ્નિગ્ધ રૂપમાં પરિણમત્વ કરી લે છે અથવા બે ગુણ રૂક્ષ પુદ્ગળ બે ગુણ સ્નિગ્ધ પુદ્ગલને રુક્ષના રૂપમાં પરિણત કરે છે ? એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ એક ગુણ રૂક્ષ પુદંગલને પિતાના રૂપમાં પરિણત કરી લે છે ? ઉત્તર–બંધ થવાથી તુલ્ય ગુણવાળા પુગલને પોતાનાં રૂપમાં પરિણત કરે છે અને જે અધિક ગુણવાળા પુદ્ગલ હોય છે તે ઓછા ગુણુવાળા પુલને પિતાનાં રૂપમાં પરિત કરી લે છે. આથી સંગઠરૂપ પરસ્પર બંધ હોવાથી સ્વભાવથી તુલ્ય ગુણવાળા બે ગુણ સ્નિગ્ધ પગલ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy