SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૫ ૧૪૧ ભિન્ન છે, પરંતુ દ્રબ્યાર્થિક નયથી જુદા જુદા ઉપલબ્ધ ન હોવાથી ભિન્ન નથી ખલ્કે તન્મય જ છે. ॥ ૨૫ ॥ તત્વા નિયુક્ત પહેલા ધર્મ આદિ દ્રવ્યાનું સામાન્ય લક્ષણ સત્ કહેવામાં આવ્યું છે પરંતુ સત્ કોને કહે છે એ શ ંકાનુ' સમાધાન કરવા માટે કહીએ છીએ ઉત્પાતૢ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત વસ્તુ સત્ કહેવાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળું સત્ હૈાય છે. નિયમથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ભેગા થઇને જ સત્ત્વના આધક હાય છે. સાર વસ્તુથી જ ઉત્પત્તિ વગેરે થાય છે. જે સર્વથા અસત્ છે, આકાશ પુષ્પની જેમ નિઃસ્વરૂપ છે તેમાં ઉત્પત્તિ વગેરે થતાં નથી કારણ ઓકાશફૂલ આદિ કોઈ પણ સ્વરૂપથી કરી શકાતાં નથી. જે કવિચત્ ધ્રુવ નથી તે ન તેા ઉત્પન્ન થાય છે કે ન તા નાશ તેનેા થાય છે, તે સત્ પણ હાતુ નથી, અસત્ હાય દા. ત. સસલાનું શિંગડું, વાંઝણીનેા પુત્ર, આકાશ પુષ્પ તથા કાચખાનુ દૂધ વગેરે. આ રીતે આ સૂત્ર દ્રબ્યાર્થિ ક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી સમજવું જોઈ એ. દ્રષ્યાર્થિક નય સામાન્યનુ ગ્રાહક અને પર્યાયાથિક નય વિશેષનું ગ્રાહક છે. આ બંને નય નૈગમ સગ્રહ અને વ્યવહાર નવેાના મૂળ છે કારણ કે નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેના ગ્રાહક હાવાથી સંગ્રહ અને વ્યવહારનયમાં જ અન્તગત થઇ જાય છે. દ્રષ્યાર્થિ કનય ઉત્સગ` વિધિ, વ્યાપકતા અપ્રતિષેધ સામાન્ય અથવા દ્રવ્યને જ ગ્રહણ કરે છે. તે વિશેષ અગર ભેદને સ્વીકાર કરતા નથી. વિશેષમાં બીજાના નિષેધ કરીને કોઈ વસ્તુની ભિન્નતાનું પ્રતિપાદન કરે છે. અભાવ કેવળ નિષેધ-માત્રશૂન્યરૂપ નથી જેમ-ઘડાના પ્રાભાવ માટીના પિન્ડ છે. ઘડાની ઉત્પત્તિ પહેલા જે ઘડાના અભાવ છે તે માટીને પીડા જ છે જેમાં ઘડા પર્યાયની ઉત્પત્તિ થઈ નથી. ઘડાના વિનાશભાવ–તેના ઢીંકરા થઈ જાય છે-વિનાશભાવ પણ વસ્તુ સ્વરૂપ જ છે, ઘડાની કપાલ અવસ્થા થઈ જવી જ તેના વિનાશ છે. એ રીતે થાંભલે કુભ વગેરે એક જ દ્રવ્યની વિભિન્ન પર્યંચામાં જે પરસ્પર ભિન્નતા હેાય છે. તે અન્યાન્યાભાવ છે. જેમ થાંભલા, ઘડા નથી અને ઘડા થાંભલા નથી. આ પણ અવસ્તુરૂપ-શૂન્ય નથી કારણ કે જેટલાં વસ્તુપર્યાય છે. બધાં અન્યાન્યાભાવ રૂપ છે. એવી જ રીતે એક દ્રવ્યનુ` ખીજું દ્રવ્યરૂપ ન હેાવું અત્યન્તાભાવ છે. આ પણ એકાન્ત નિરૂપાખ્ય નથી, જેમ ચેતન અચેતન નથી અને અચેતન ચેતન નથી. અધી વસ્તુએ દ્રવ્ય, ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષા રાખે છે. તે કદી પ્રત્યક્ષ આદિ પ્રમાણેાથી ઉપલબ્ધ થાય છે અને કદી ઉપલબ્ધ થઈને પણ દ્રવ્ય આદિના વિપ્રકના કારણે ઉપલબ્ધ હાવા યાગ્ય રહેતી નથી. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમ રૂપ કારણ સમૂહના હાજર રહેવા છતાં પણ આત્મા પરમાણુ ચણુક આદિ તથા વૈક્રિય શરીર આદિ વિદ્યમાન રહેતા હેાવા છતાં પણ ઉપલબ્ધ હાતા નથી એનું કારણ તે વસ્તુનું પરિણમન છે. દિવસે તારા દેખાતા નથી. અનાજના ઢગલામાં નાખેલુ બીજ ઉપલબ્ધ થતું નથી. કોઈકઈ વસ્તુ ક્ષેત્રની આઘે હેાવાના કારણે અત્યન્ત નજીકના કારણે અથવા આડે આવી જવાના કારણે પણ ઉપલબ્ધ થતી નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy