SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિના કારણેનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૩ કયારેક કયારેક એવું થાય છે કે એક મોટા સ્કન્ધનો એક ભાગ જુદો થયો અને બીજા કને ભાગ તેમાં મળી ગયા આમાં એકત્વ પણ થવું અને પૃથફત પણ થવું. આ એકત્ર પૃથકત્વથી પણ સ્કંધ બને છે. પરંતુ પરમાણુની ઉત્પત્તિ એકૃત્વ અર્થાત સંઘાતથી થતી નથી. તે ભેદ પૃથકત્વથી જ ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ સ્કંધમાં એક પ્રદેશ પૃથ થઈને સ્વતંત્ર થઈ જાય છે ત્યારે પરમાણુ કહેવાય છે. આ રીતે પરમાણુ પૃથફત્વથી જ ઉત્પન્ન થાય છે રર . તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં પુદ્ગલનું પરમાણુ રૂપ અને સ્કંધરૂપ પરિણમન બતાવવામાં આવ્યું છે પરંતુ તે પરિણમન શું અનાદિ છે અથવા સાદિ ? આ શંકાનું સમાધાન કરવા માટે-તે પરિણમન સાદિ છે, અનાદિ નથી, કારણ કે તે ઉત્પત્તિમાન છે–પરમાણુઓ અને સ્કંધની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ-એકત્વ અને પૃથફત્વથી પુદ્ગલે. ઉત્પન્ન થાય છે અને પૃથલ્ફવથી પુદ્ગલેના પરમાણુ ઉત્પન્ન થાય છે. હકીકતમાં સંઘાતરૂપ એકત્વથી ભેદરૂપ પૃથકૃત્વથી અને સંઘાતભેદરૂપ એકત્વ-પૃથકૃત્વથી પુદ્ગલેના દ્વિદેશી આદિ સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ-બે પરમાણુ પુદ્ગલેના સંઘાત રૂપ એકત્વથી અર્થાત્ મિલનથી દ્વિપ્રદેશી પુદ્ગલસ્કંધ ઉત્પન્ન થાય છે. એક દ્વિપદેશી સ્કંધ અને એક પરમાણુના સંઘાતથી અથવા ત્રણ પરમાણુઓના સંઘાતથી ત્રિપ્રદેશીસ્કંધની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે એક ત્રિપ્રદેશમસ્કંધ અને એક પરમાણુથી અથવા બે દ્વિપ્રદેશી ઔધથી અથવા ચાર પરમાણુથી ચાર પ્રદેશ સ્કંધ ઉત્પન્ન થાય છે એવી જ રીતે સંખ્યાત અસંખ્યાત, અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશોના સંઘાત રૂપ એકત્વથી સંખ્યાત અસંખ્યાત અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશેવાળા સ્કંધ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આ જ પ્રયાણુથી લઈને અનન્તાનન્તપ્રદેશી સ્કંધમાં જે સંઘાતરૂપ એકત્વથી ઉત્પન્ન થયા છે. જ્યારે ભેદ થાય છે અર્થાત્ એક પરમાણુ ભિન્ન થઈને અલગ થઈ જાય છે ત્યારે તે એક પરમાણુથી હીન સ્કંધના રૂપમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે જે તેમાંથી બે પરમાણુ નીકળી જાય અગર ત્રણ પરમાણુ જુદાં થઈ જાય તે ક્રમશઃ નાને થત થકે તે અન્તતઃ દ્વિદેશી સ્કંધના રૂપે ઉત્પન્ન થઈ જાય છે. આ કયણુક આદિ સ્કંધ સંઘાત અને ભેદ અર્થાત્ એકત્વ અને પૃથકૃત્વ–બંનેથી પણ ઉત્પન્ન થાય છે કાળના સૌથી નાના નિરંશ અંશને સમય કહે છે તે એક જ સમયમાં કોઈ પરમાણુ કેઇ દ્રયણુંકથી છુટો થવો અથવા તેજ સમયે બીજા કેઈ પરમાણું તેમાં મળી ગયા તે આ ભેદ અને સંઘાતથી પણ પ્રયણુંક સ્કંધની ઉત્પત્તિ થઈ. પરંતુ પરમાણુની ઉત્પત્તિ સંઘાતથી અગર ભેદ સંઘાતથી નહીં પણ ભેદથી જ થાય છે. અહીં એ સમજી લેવું જોઈએ બે પરમાણુઓનાં પારસ્પરિક મિલન રૂપ એકત્વ પરિણામથી એક દ્રવ્યાણુક સ્કન્ધ બની જાય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉંદેશકના ૮૨માં સૂત્રમાં કહ્યું છે-બે કારણોથી પુદ્ગલેનું મિલન થાય છે. અગર તે પુગલ જાતે જ સંહત થઇ જાય છે અગર બીજાની દ્વારા સંહત કરવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલમાં શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy