SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વા સૂત્રના ૧૨૮ નથી. આપેક્ષિક-સ્થૂલ ખારની અપેક્ષાએ આમળામાં અને આમળાની અપેક્ષાએ દાડમમાં હાય છે પરમાણુઓના પ્રથમ પરિણામના અને અવયવાના વિકાસને સ્થૂલત્વ કહે છે આ બન્ને પ્રકાર ના સ્થૂલત્વ પૌગલીક છે. સંસ્થાનના અથ આકૃતિ છે. આકૃતિ અવયવાની અમુક પ્રકારની રચનાથી બને છે. સંસ્થાન એ પ્રકારના છે જીવનું અને અજીવનું પૃથ્વીકાય, અસૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીવ છે અને એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દય તથા પંચેન્દ્રિય જીવ અનેક ઇન્દ્રિય છે આ પૃથ્વી, અત્ તેજસ્કાય આદિ છાના શરીરનું સંસ્થાન ક્રમથી મસૂરની સમાન, સ્તિણુક–ની સમાન, સૂચીકલાપની સમાન ધજાની જેમ તથા અનિત્યસ્થ હોય છે. આમા જે એઇન્દ્રિય તૈઇન્દ્રિય અને ચરિન્દ્રિય નામના ત્રણ વિકલેન્દ્રિય જીવ છે તેમનુ સસ્થાન હૂંડક હોય છે. પંચેન્દ્રિયાના યથાયેાગ્ય નામકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા છ પ્રકારના સસ્થાન હેાય છે. સમચતુર×, ન્યગ્રોધ, સાદિ, કુબ્જક, વામન અને હુન્ડક, કહ્યું પણ છે— જે સંસ્થાન સમચારસ હાય અર્થાત્ જેને ચારે ખાજુથી માપવાથી સરખુ હાય તે સમચતુરસ કહેવાય છે. જેમાં ઉપરના અવયવ મોટા હાય તે ન્યગ્રાધ સંસ્થાન જેમાં નીચેનાં અવયવ મેટા હાય તે સાદિ જેમાં પેટ અંદર જતું રહ્યુ હાય અર્થાત્ જે કુબડા હાય તે કુઞ્જક સંસ્થાન જે વે'તીયા હાય તે વામન અને જે બધી જગ્યાએ વિષમ હાય-બેઢ ંગે હાય તે હુંડક સંસ્થાન કહેવાય છે. અજીવનું સંસ્થાન પાંચ પ્રકારનું હાય છે, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ આયત (લાંબુ) અને પરિમન્ડલ. વૃત્ત સંસ્થાન યુગલ અને અયુગલના ભેદથી એ પ્રકારનું હેાય છે. યુગ્મ સસ્થાન પણ બે પ્રકારનું છે. પ્રતર અને ધન એવી રીતે અન્ય સંસ્થાન પણ સમજી લેવા જોઈ એ. જે સંસ્થાન વૃત્ત આદિ કોઈ રૂપમાં પણ ન કહી શકાય તે અનિત્યસ્થ કહેવાય છે. આ બધાં જ સંસ્થાન પૌગલિક છે. કોઇ વસ્તુના એકત્વનેા ભંગ થઈ જવા ભેદ કહેવાય છે. ભેદ પાંચ પ્રકારના છે. ઔત્કરિક, ખન્ડ, ચૌણિક, પ્રતર અને અનુત્તર ભેદ, વિભક્ત થનારા પુદગલદ્રવ્યમાં જ થાય છે આથી તે પૌદ્દગલિક છે. તે પુદગલ સિવાય કઈ પણ અન્ય દ્રષ્યમાં હતેા નથી. ચીરવાવાળા લાકડા વગેરેમાં ઔરિક ભેદ હાય છે. કોઇ વસ્તુના ચૂરે ચૂરા થઇ જવા તે ચૌણિક ભેદ છે. માટીના પીડાનિ જેમ ટુકડા-ટુકડા થવા તે ખન્ડભેદ છે. અખરખ મગર લાજપત્ર વગેરેની માફક પડના પડ જુદા જુદા થાય તે પ્રતર ભેદ છે. વાંસ અગર શેરડીની આ કેઇની છાલ જુદી થઇ જાય તે અનુત્તર ભેદ છે. પૂર્વોક્ત યુક્તિ મુજબ આ બધા ભેદ પૌદ્ગલિક છે. એવી જ રીતે અન્ધકાર, છાયા, તાપ તથા ઉદ્યોત પણ પુદ્ગલદ્રવ્યના જ પરિણામ છે. અન્ધકાર પુદ્ગલનું' જ પરિણામ છે કારણ કે તે જોવામાં અવરાધ નાખે છે જેમ દિવાલ અથવા આાવરણુ કર્તા હોવાના કારણે તે પટ વગેરેની જેમ પૌલિક છે. છાંયડો પણ પુદ્ગલનુ પરિણામ છે કારણ કે તે શીતલ અને સતેષદાયક હોય છે જેમ પાણી અને હવા. એવી જ રીતે તાપ પણ સંતાપજનક હાવાથી પરસેવા ઉત્પન્ન કરનાર હેાવાથી અને ઉષ્ણુ હેાવાથી અગ્નિ આદિની આટૅક પૌદ્ગલિક છે. એવી જ રીતે ચન્દ્રિકા આદિના પ્રકાશરૂપ ઉદ્યોત પણ પુદ્ગલદ્રવ્યનુ પરિણામ છે, કેમકે તે આહ્વાક હાય છે જેમ અગ્નિ વગેરે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy