SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તત્વાર્થસૂત્રને આ પ્રકારે કાકાશમાં સર્વત્ર ધર્મ, અધર્મને અવગાહ છે તેનાથી આગળ નથી. જેમ ચેતનનું કાર્ય શરીરમાં જ દેખી શકાય છે, બહાર નહીં એ કારણે ચેતના શરીરવ્યાપી જ છેએવી જ રીતે ધર્મ-અધર્મને ઉપકાર કાકાશમાં જ દેખી શકાય છે, બહાર નહીં આથી તે દ્રવ્ય પણ બહાર નથી. ફલિતાર્થ એ છે કે ધર્મ અને અધર્મદ્રશ્ય દૂધ અને પાણીની જેમ પરસ્પર અવગાહન કરીને સમસ્ત કાકાશમાં વ્યાપ્ત છે, એવું નહીં કે તળાવમાં પુરુષની જેમ અગર ઘરમાં ઘરની માફક કોઈ એક ભાગમાં હોય એ કૃન શબ્દથી પ્રકટ કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ગાથા ૭ મી માં કહ્યું છે – ધર્મ, અને અધર્મ આ બે દ્રવ્ય લોકાકાશમાં જ કહેવામાં આવ્યા છે. આકાશ લેકાલકવ્યાપી છે અને કાળ માત્ર સમયક્ષેત્રમાં અર્થાતુ અઢી દ્વીપમાં જ છે. જે ૧૧ છે पोग्गलाणं भयणा पाइपपसेसु' મૂળ સત્રાર્થ–પગલદ્રવ્યના એક પ્રદેશ વગેરેમાં ભજના છે. જે ૧૨ એ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં એ દર્શાવી દેવામાં આવ્યું છે કે ધર્મ અને અધર્મની લકાકાશમાં કેવા પ્રકારની અવગાહના છે? હવે લોકાકાશમાં પુગલેને અવગાહ બતાવવા માટે કહીએ છીએ. પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્યને અવગાહ લેકાકાશના એક આદિ પ્રદેશમાં થાય છે. એવી જ રીતે અપ્રદેશી પરમાણુના સંખ્યાતા અસંખ્યાતા તથા અનન્ત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યનું એકાદિ આકાશપ્રદેશમાં ભજનાથી અવગાહ સમજવો જોઈએ. આમાંથી પરમાણુંને તે એક જ આકાશપ્રદેશમાં અવગાહ થાય છે, કયણુકને એક અગર બે પ્રદેશમાં ચણકને એક, બે અથવા ત્રણ પ્રદેશમાં ચતુરણુક તથા પંચાણુક આદિ સંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશી સ્કંધનો એક આદિ સંખ્યાતા અગર અસંખ્યાતા પ્રદેશોમાં અવગાહ થાય છે. ત્યાં સુધી કે અનન્તપ્રદેશી સ્કન્ધને પણ એક, બે સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશોમાં અવગાહ થાય છે. જે ૧૨ એ તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં અમૂર્ત ધર્મ-અધર્મ દ્રવ્યોનું સંપૂર્ણ કાકાશમાં અવગાહ હવાનું પ્રતિપાદન કર્યું. હવે તેમનાથી વિપરીત મૂર્તિમાન અપ્રદેશી, સંખ્યાતપ્રદેશી અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી પરમાણુ આદિ પુગલેને કાકાશમાં–અવગાહનું નિરૂપણ કરવાના આશયથી કહીએ છીએ પરમાણુ આદિ પુગલદ્રવ્યને અવગાહ ભજનાથી એક આદિ આકાશપ્રદેશોમાં થાય છે અર્થાતુ કઈ પુગલને એક પ્રદેશમાં, કેઈનાં બે પ્રદેશોમાં તથા કેઈન સંખ્યાતા અસંખ્યાતા પ્રદેશમાં અવગાહ થાય છે. પરમગુંને એક આકાશ પ્રદેશમાં, બદ્ધ અગર અબદ્ધ કયકને એક અગર બે આકાશપ્રદેશમાં અવગાહ થાય છે બદ્ધ અગર અબદ્ધ અણુક એક, બે અગર ત્રણ પ્રદેશમાં અવગાહ થાય છે. એવી જ રીતે સંખ્યાતા, અસંખ્યાતા તથા અનન્તપ્રદેશવાળા પગલ સ્કને લોકાકાશના એક, સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશમાં અવગાહ સમજવો જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy