SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ દ્રવ્યના અનેક પણાનું નિરૂપણ સૂ. ૫ ૯૩ શ’કા—જો ધ વગેરે ત્રણ દ્રબ્યા નિષ્ક્રિય છે તે તેમનામાં ઉત્પાદ ઘટિત થતા નથી કારણ કે ઘટ આદિમાં જે ઉત્પાદ દેખાય છે તે ક્રિયાપૂર્વક જ થાય છે, ઉત્પાદના અભાવમાં વ્યય પણ થઇ શકતા નથી. આવી સ્થિતિમાં બધા દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક છે એ માન્યતા ખડિત થઈ જાય છે. સમાધાન--~ધ આદિ ત્રણ દ્રવ્યામાં ઘડાની જેમ ક્રિયા નિમિત્તક ઉત્પાદ થતા નથી ત્યાં બીજી જ રીતે ઉત્પાદની કલ્પના કરવામાં આવી છે. ઉત્પાદ એ પ્રકારના છે—સ્વનિમિત્તક અને પરનિમિત્તક અનન્ત અગુરુલઘુ ગુણાને જે આગમની પ્રમાણતાના આધાર પર વિચાર કરવામાં આવે છે અને જે ષટ્રસ્થાન પતિત વૃદ્ધિ અને હાનિથી પ્રવ્રુત્ત હાય છે, સ્વભાવથી જ ઉત્પાદ અને વ્યય થાય છે તેને સ્વનિમિત્તક ઉત્પાદ કહે છે અશ્વ આદિની ગતિ સ્થિતિ અને અવગાહનમાં કારણ હાવાથી ધર્માદિ દ્રવ્યામાં ક્ષણે ક્ષણે ભેદ થતા રહે છે અર્થાત્ ધર્મ દ્રવ્ય કયારેક અશ્વની કદી મનુષ્યની અને કદી કોઈ પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે એજ રીતે અધમ દ્રવ્ય તેમની સ્થિતિમાં સહાયક થાય છે. જ્યારે ઘડાને એક જગાએથી ખસેડી બીજી જગ્યાએ મુકવામાં આવે છે ત્યારે પહેલાનાં આકાશ પ્રદેશેાથી તેના વિભાગ અને બીજી જગ્યાના આકાશ પ્રદેશથી સાથે સયેગ થાય છે. આ સયાગ—વિભાગની ઉત્પત્તિ અને વિનાશ જ આકાશના ઉત્પાદ વિનાશ છે. આ પરિનિમિત્તક ઉત્પાદ—વિનાશ કહેવાય છે. ધર્માદિ દ્રવ્ય જો નિષ્ક્રિય છે તે તે જીવા અને પુદ્ગળાની ગતિ આદિમાં કારણભૂત કેવી રીતે હેાઈ શકે ? એમ કહેવું ઉચિત નથી, ધર્માદિ દ્રવ્ય આંખની જેમ માત્ર સહાયક જ હાય છે આથી એ દેષ નથી. તાત્પર્ય એ છે કે ધર્મ દ્રવ્ય સ્વયંગતિમાં પરિણત જીવપુદગલાની ગતિમાં, અધમ દ્રવ્ય સ્વયં સ્થિતિમાં પરિણત જીવ-પુદગલાની સ્થિતિમાં અને આકાશ સ્વયં આકાશરૂપ પરિણત અન્ય દ્રવ્યાના અવગાહનમાં સહાયક થાય છે. ગતિ આદિની પ્રેરણા કરવી તેમના સ્વભાવ નથી. જેમ રૂપની ઉપલબ્ધિમાં ચક્ષુ નિમિત્ત હાય છે, તે પણ વિક્ષિપ્ત ચિત્ત વાળા માટે તે નિમિત્ત હાતી નથી, એવી જ રીતે ધ, અધ અને આકાશને ક્રિયાહીન માનવા છતાં પણ જીવા અને પુદગલા સક્રિય હોવાથી તેમનામાં પણ સક્રિયતાની સિદ્ધિ થઈ જાય છે. એવી જ રીતે કાલ પણ સક્રિય સિદ્ધ થાય છે. આ દ્રવ્યેની સાથેનું પ્રકરણ નથી. આગમમાં કહ્યુ છે—પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થાય છે, નષ્ટ પણ થાય છે અને કાયમ પણ રહે છે. અન્યત્ર પણ કહેવુ છે. જેમ અવગાહ આદિ ગુણુ હાવાના કારણે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય સ્વભાવવાળા છે તેજ રીતે જીવના ગુણ જો ઉત્પાદ આદિ સ્વભાવવા છે તો શું દેષ આવે ? ૧ અવગાહક વગર અવગાહન કેવી રીતે થઈ શકે ? ગતિ આદિ ઉપકાર પણ આ પ્રકારના છે ? રા દ્રવ્ય, પર્યાયથી સર્વથા ભિન્ન નથી અર્થાત્ કથ'ચિત અભિન્ન છે. આવી સ્થિતિમાં પર્યાયના નાશ થવાથી આકાશ આદિ દ્રબ્યાને સદા નિત્ય કેવી રીતે માની શકાય ? ાાપા શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy