SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ કાશ્મણ શરીરના લક્ષણનું કથન સ, ૩૧ ૬૧ જવાબ: --ગૌતમ, વેકિયવાળાને આહારક શરીર હોતું નથી અને આહારકવાળાને વૈશ્યિ શરીર પણ હોતું નથી. તેજસ અને કાર્મણ શરીરના વિષયમાં ઔદારિક શરીર માટે જે કહ્યું તેજ સમજવાનું છે અને આહારક શરીરના વિષયમાં પણ તેજ પ્રમાણે કહેવું જોઈએ અર્થાત્ જેને વૈકિય અને આહારક શરીર હોય છે તેમને તૈજસ અને કામણ શરીર નિયમથી હોય છે. | પ્રશ્નઃ–ભગવત, ! જેમને તેજસ શરીર હોય છે તેમને કાર્પણ અને કામણવાળાને તૈજસ શરીર હોય છે ? ઉત્તરઃગૌતમ, જેને તેજસ શરીર હોય છે તેમને કાશ્મણ શરીર નિયમથી હોય છે અને જેને કામણ શરીર હોય તેમને તેજસ શરીર નિયમથી હોય છે ૩૦ | 'कम्मगं उबभोगवज्जिए' મૂળસ્ત્રાર્થ –કાશ્મણશરીર ઉપભેગથી રહિત છે ૩૧ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ઔદારિક વૈકિય આહારક તેજસ અને કાર્મણ ના ભેદથી પાંચ પ્રકારના શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કાશ્મણનું પ્રકરણ આવવાથી તેના વિષયમાં થોડી વિશિષ્ટતાનું પ્રતિપાદન કરીએ છીએ કર્મથી ઉત્પન્ન થનાર, પૂર્વોક્ત સ્વરૂપવાળું કામણ શરીર ઉપભેગથી રહિત છે. ઈન્દ્રિદ્વારા શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શ વગેરેની ઉપલબ્ધિ થાય તેને ઉપભેગ કહેવાય છે. કાર્પણ શરીર આ ઉપભેગથી રહિત છે. વિગ્રહગતિમાં કાર્મણશરીરનું અસ્તિત્વ હોવા છતાં પણ લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું વિદ્યમાન પણું હોવા છતાં પણ દ્રવ્યન્દ્રિયોને અભાવ હોવાથી શબ્દ વગેરે ભેગ, ઉપગ થતો નથી. - દારિક વગેરે શરીરના ભાવમાં સુખ દુઃખ રૂ૫ વિષયોનો ઉપભગતે પ્રત્યક્ષથી સિદ્ધ છે પરંતુ જ્યારે વિગ્રહગતિમાં કાર્મણશરીર હોય છે ત્યારે આ શરીરથી શબ્દ વગેરે વિષયેને ઉપગ થઈ શક્તા નથી. આથી જ કામણ શરીરને ઉપભેગથી રહિત કહેવામાં આવ્યું છે. જે ૩૧ છે 'ओरालिए दुविहे सम्मुच्छिमे गम्भवतिए य' । મૂળસૂત્રાથ–ઔદારિક શરીર બે પ્રકારના છે–સમૂર્ણિમ અને ગર્ભવ્યુત્કાન્તિક ૩રા તત્વાર્થદીપિકા–પહેલા ત્રણ પ્રકારના જન્મ કહેવામાં આવ્યા છે તેમાંથી ક્યા જન્મમાં ઔદારિક આદિ પાંચે શરીરમાંથી કયું શરીર હોય છે, આવી જિજ્ઞાસા થવાથી કહેવામાં આવે છે કે-ઉદાર અર્થાત્ સ્થૂળ પુદ્ગલથી બનનારૂં શરીર ઔદારિક કહેવાય છે તેના બે ભેદ છે–સમૂર્છાિમ અને ગર્ભવ્યુત્કાન્તિક. આ રીતે સમૂર્છાિમ જન્મ અને ગર્ભજન્મથી ઉત્પન્ન થનાર છેવોને દારિક શરીર હોય છે. અહીં એવી અટકળ કરવાની નથી કે તેમને માત્ર ઔદારિક શરીર જ હોય છે. કારણ કે તેમને તેજસ અને કામણ શરીર પણ હોય છે. લબ્લિનિમિત્તક વૈકિય અને આહારક શરીર પણ ગર્ભજ જીવને આગળ જતાં હોઈ શકે છે. ઔદારિક શરીર જઘન્યથી આંગળીના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી હજાર જન પ્રમાણથી કંઈક વધારે હોય છે. દારિક શરીર, જેમ-જેમ આયુષ્ય વધતું જાય છે તેમ-તેમ વધતું જાય છે અને જ્યારે આયુષ્યનો ક્ષય થવા લાગે છે ત્યારે જીણું થવા માંડે છે. પછીથી જ્યારે ગાત્રો ઢીલા પડી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy