SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને માછલાની વિરક્ષા કરવામાં આવે છે તે રીતે વિગ્રહગતિમાં કામણ કાયયોગ કહેવામાં આવે છે. અન્યથા બે અગર ત્રણ વિગ્રહવાળી ગતિમાં આદિ અને અંત ના સમયમાં પણ કામણગની પ્રાપ્તિ થતિ પરંતુ બે વિગ્રહવાળી ગતિમાં મધ્યમ સમયમાં અથવા ત્રણ વિગ્રહવાળી ગતિમાં બે મધ્યના સમયમાં જ કામણ કાયમ માનવામાં આવે છે. શંકા એમ માની લઈએ તે પણ તાત્પર્ય તે એ નિકળયું કે વિગ્રહગતિવાળે જીવ કાર્પણ કાગ દ્વારા જ ભવાન્તરમાં સંક્રમણ કરે છે તે પછી વિગ્રહગતિમાં નિરૂપભેગતાનું પ્રતિપાદન કેમ કરવામાં આવ્યું. ? ભવાન્તરમાં સંક્રમણ કરવું એ ઉપગ જ છે. સમાધાન –અહીં ઉપભેગને જે નિષેધ કરવામાં આવ્યો છે તે સુખ અને દુઃખના વિશિષ્ટ ઉપભેગને, કર્મબન્ધને અનુભવ અને નિર્જરાને નિષેધ કરવામાં આવેલ છે. ચોથારૂપ કામયુગને નિષેધ કરવામાં આવ્યો નથી. શંકા –એવું માનવામાં પણ આગમની વિરૂદ્ધ ગણાય કારણકે આગમમાં પ્રશ્ન કરવામાં આવે છે કે–ભગવદ્ ! આ જીવ જ્યાંસુધી હાલતે ડોલતે, ગમન સ્પન્દન કરે છે ત્યાં સુધી તે જ્ઞાનાવરણીય અને...અન્તરાય કર્મને બંધ કરે છે ? અને જવાબ આપવામાં આવ્યું છે કે હા, ગૌતમ ! જ્યાંસુધી જીવ હાલતા, ડોલતે ગમન અગર સ્પન્દન કરે છે ત્યાંસુધી તે જ્ઞાનાવરણીયથી અન્તરાય કર્મને બંધ કરે છે. ઉકત કથનમાં આ સૂત્રમાં મુશ્કેલી આવે છે કામણગના સમય ચલન હોય તો પછી બન્ધ વગેરે રૂપ ઉપભેગને નિષેધ કેમ કરવામાં આવ્યું છે? સમાધાન–ભવસ્થ જીવની અપેક્ષાથી જ ભગવાને ઉકત સૂત્રમાં પ્રણયન કર્યું છે કારણકે ભવસ્થ અવસ્થામાં જ જ્ઞાનાવરણ વગેરે કર્મોનો આશ્રવ થાય છેઆના ઉપરાંત બે સમય એટલે તે અલ્પકાળ છે કે તેમાં ઉપભોગ વગેરેનો સંબંધ થઈ શકે છે. અથવા– કાગ નિમિત્તક બન્ધને સમય હોવા છતાં પણ અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી એટલે આ કારણે કોઈ દોષ નથી આ રીતે કહેવાનું એ છે કે વિગ્રહગતિ કામણકાયેગવાળી જ હોય છે . ૨૫ 'सिद्धस्स अविग्गहा' સૂત્રાર્થસિદ્ધજીવની અવિગ્રહ ગતિ હોય છે ! ૨૬ છે તત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું છે કે સાધારણ તથા ભવાન્તરમાં જતી વખતે જીવની ગતિ વિગ્રહવતી હોય છે. હવે સિદ્ધિ-મુક્તિમાં ગમન કરવાવાળા સિદ્ધ પુરુષની ગતિ કેવી હોય છે ? એ દર્શાવવા માટે કહીએ છીએ સિદ્ધિ પ્રાપ્ત કરનારા-મોક્ષગામી-પુરુષની ગતિ-અવક-સીધી હોય છે. તે વિગ્રહવાળી હોતી નથી એવી રીતે સિદ્ધ થનારા જીવની એકાન્ત રૂપથી વિગ્રહ રહિત ગતિ જ હોય છે. સિદ્ધ થનાર સિવાયના બીજા જીવોની સવિગ્રહ અને અવિગ્રહબંને પ્રકારની ગતિ હોય છે. વિગ્રહને અર્થ છે વ્યાઘાત અગર કુટિલતા અથવા વકતા. આ જેમાં ન હોય તે ગતિ અવિગ્રહા કહેવાય છે. સિદ્ધજીવની આવી અવિગ્રહા ગતિ હોય છે. અવિગ્રહ ગતિ એક સમયની હોય છે જ્યારે સવિગ્રહા ગતિ બે અથવા ત્રણ સમયની હોય છે એ પ્રથમ કહેવાઈ ગયું છે. તે ૨૬ છે શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy