SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ મન નઇન્દ્રિય હોવાનું નિરૂપણ સૂ. ૨૨ ૩૭ અહીં શ્રતજ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન વિષય સમજવો જોઈએ અર્થાત્ શ્રતજ્ઞાનને જે વિષય છે. તેજ મનને વિષય છે. જે આત્માને શ્રુતજ્ઞાનાવરણ કમને પશમ છે તે શ્રુતજ્ઞાનના વિષયમાં મનની મદદથી જ પ્રવૃતિ કરે છે. મતલબ શ્રુતજ્ઞાનને જે વિષય છે તે મનને સ્વતંત્ર વિષય છે. આ પ્રકરણમાં શ્રત શબ્દનો અર્થ ભાવશ્રતજ્ઞાન સમજવો જોઈએ. આ ભાવકૃતજ્ઞાન મૃતજ્ઞાનાવરણના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, દ્રવ્ય શ્રતને અનુસરણ કરે છે તેમજ આત્માનું જ એક વિશિષ્ટ પરિણમન છે. અથવા અર્થાવગ્રહની પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપમાં પરિણત થાય છે. પરંતુ બધી ઈન્દ્રિયેથી થનાર અર્થાવગ્રહ ના અંતર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ પરિણમન ન થવું. વચન અને મનથી થનાર અર્થ વિગ્રહની પછી જ શ્રુતજ્ઞાન રૂપ હોય છે. ચોકકસ રીતથી શ્રુતજ્ઞાન થતશાસ્ત્ર અનુસાર હોય છે. મનને વિષય જે શ્રુતજ્ઞાન છે તે બે પ્રકાર છે-અંગબાહ્ય અને અંગપ્રવિણ આવશ્યક વગેરે અંગબાહ્યશ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટ બાર પ્રકારના છે, જેમ આચારાંગાદિ આંખની જેમ મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે જ્યારે મનથી અગ્નિનું ચિંતન કરવામાં આવે છે ત્યારે મનમાં જલન થતું નથી. અને જ્યારે પાણીનું ચિંતવન કરે છે ત્યારે ઠંડુ થતું નથી મનના બે ભેદ છે-દ્રવ્યમન અને ભાવમન-દ્રવ્યમન પોતાના શરીરની બરાબર છે જ્યારે ભાવમન આત્મા જ છે. તે ભાવમન રૂપ આત્મા ત્વચા પર્યન્ત દેશમાં વ્યાપ્ત રહે છે. ભાવમન દ્રવ્યમનનું અવલઅન કરીને પણ ઇન્દ્રિયના વિષયનું મનન કરે છે આથી તે દ્રવ્યમનના વ્યાપારનું જ અનુસરણ કરે છે–તાત્પર્ય એ છે કે શ્રોત્રની પ્રણાલીથી ગ્રહણ કરવામાં આવેલા શબ્દોનાં વાક્યને વિચાર કરવાવાળા મનને વિષય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રયોગ વિશેષ અને સંસ્કારજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વર્ણ, પદ, વાકય, પ્રકરણ અધ્યયન વગેરેના જ્ઞાનરૂપ છે. તેને મન શિવાય બીજી કઈ ઇન્દ્રિય ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી મનને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ ૨૨ / તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં સ્પર્શન વગેરે ઈન્દ્રિયોના સ્પર્શ વગેરે વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે મનનું વિજ્ઞાપન કરીને તેના વિષયનું પ્રજ્ઞાપન કરીએ છીએમન ને ઇન્દ્રિય કહેવાય છે. તેને વિષય શ્રત છે. શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી ઉત્પન્ન થઈને દ્રવ્યશ્રતનું અનુસરણ કરવાવાળા પોતાના અર્થથી ઉપસંગત આત્મપરિણતિને પ્રમાદ તથા તત્વાર્થને જાણવાવાળા સ્વરૂપવાળી મતિધ્રુતજ્ઞાન કહેવાય છે અથવા અર્થાવગ્રહના સમય પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન બની જાય છે. પરંતુ બધી ઇન્દ્રિયેથી થનાર અર્થાવગ્રહની પછી થતું નથી પરંતુ માનસિક અર્થાવગ્રહના અનન્તર જ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે, વિશેષ રૂપથી તે શ્રતશાસ્ત્રના અનુસાર શ્રુતજ્ઞાન થાય છે. મનને વિષય તે શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ– આવશ્યક વગેરેના ભેદથી અંગબાહ્ય અનેક પ્રકારના છે તે મન ને ઇન્દ્રિય કહેવાય છે કારણકે રૂપ વગેરેને ગ્રહણ કરવામાં તે સ્વતંત્ર નથી, અપૂર્ણ છે અને ઇન્દ્રિયનું કાર્ય કરતું નથી. જેમ ચક્ષુ અપ્રાપ્યકારી છે તેવી જ રીતે મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે પાણી તથા અગ્નિનું ચિંતન કરતી વખતે ન તે તેને ઉપકાર હોય છે કે ન તે ઉપઘાત. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy