SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને સ્વરૂપ અને ભેદથી જે રચના થાય તેને નિવૃત્તિ કહે છે. નિવૃત્તિને અર્થ છે જુદી જુદી ઇન્દ્રિયને પોત પોતાને આકાર ઉત્પન્ન થવો તે જે ઉપકાર કરે-મદદ કરે તે ઉપકરણ છે-- નિવૃતિઇન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય, બંને હકીકતમાં પુગલના પરિણમન છે છતાં પણ તેઓ ઈન્દ્રિય કહેવાય છે. એનું કારણ એ છે કે બે ઉપગ રૂપ ભાવેન્દ્રિયનું કારણ છે. કહેવાનો હેતુ એ છે કે જે દ્રવ્ય ઉપયોગ ભાવેદ્રિયની મદદ કરવામાં સમર્થ હોય છે એને દ્રવ્યેન્દ્રિય કહે છે. નિવૃત્તિ-ઈન્દ્રિય અંગે પાંગનામકર્મથી ઉત્પન્ન થાય છે, ઉપગ રૂ૫ ભાવેન્દ્રિયનું છિદ્ર છે-નિમણુનામકર્મ અને અંગોપાંગ નામકર્મના કારણે જે ઉત્પન્ન થાય છે તે મૂળગુણનિર્વત્તિરૂપ છે. ઉપકરણેન્દ્રિય બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. ત્રાદિ દ્રવ્યેન્દ્રિયને ઉપઘાતથી બનાવવા તથા તેમના અનુગ્રહ કરવામાં ઉપકરણેન્દ્રિય મદદરૂપ થાય છે. તાત્પર્ય એ છે કે નિર્માણ નામનું નામકર્મ અંદર રહેલા સુથાર જેવું છે કે કર્ણ શક્તી વગેરે અવયવની આકૃતિ બનાવવામાં કુશળ છે. એવી રીતે ઔદારિક. વૈકિય અને આહારક એ ત્રણે શરીરના અંગોપાંગ નામ કર્મ પણ અવયની રચના કરનાર છે. એનાથી પેટ માથું આદિ અંગે અને આંગળી આદિ ઉપાંગોની રચના થાય છે. આ બન્ને કર્મ નિવૃત્તિ ઉપકરણ રૂ૫ બને દ્રવ્યેન્દ્રિના નિર્માણ કરવામાટે પ્રયત્ન કરે છે. અંગે પાંગ નામક અત્યંત વિશિષ્ટ કર્મ છે તે ઉપગ રૂપ ભાવેન્દ્રિયને અવધાન આપવા માટે જે માર્ગરૂપ છિદ્રો ઉત્પન્ન કરે છે. તેજ કર્ણ શખુલી આદિ જે રૂ૫ છિદ્ર જે રૂપ બહારથી જણાય છે તેમને એક નિવૃતિ કહે છે, બીજી આત્યંતર નિવૃત્તિ કહેવાય કે અથવા અંગે પાંગ નામકર્મ અને નિર્માણનામ કર્મના વડે વિશિષ્ટ પ્રકારની અવયવરચનાથી રચિત ઔદારિક વગેરે ત્રણ શરીરનાં કર્ણશષ્ફલી વગેરે પ્રદેશ નિર્માણ નામક અને અંગોપાંગ નામકમ નિમિત્તક ઉત્તર ગુણ નિર્વત્તનાની અપેક્ષા મૂલગુણનિર્વત્તના રૂપ નિવૃત્તિ ઉત્પન્ન થાય છે. કાન વિંધવા તથા તેમાં લંબાઈ ઉત્પન્ન કરવી આંખનું કાજળથી તથા સુગંધીનું નાક દ્વારા ઉપકાર થયે, ઔષધ પ્રદાન કરી જીભની જડતા દૂર કરવી, તથા જુદા જુદા પ્રકારના ચૂર્ણ પટવાત તથા ગંધદ્રવ્યાનું ઘસવાથી સ્પર્શનેન્દ્રિયનું સ્વચ્છ થવું આ તમામ ઉત્તરગુણ નિર્વતના છે. એવી જ રીતે જુદા જુદા વિશેષાથી નિરપેક્ષ જેવી ઉત્પન્ન થઈ હોય તેવી જ રહેલી, ઔદારિક શરીરના યંગ્ય દ્રવ્યવર્ગનું મૂળ કારણુવ્યવસ્થિત ગુણનિર્વતને કહેવાય છે. તલવારની ધાર જેવી નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિયનું અસ્તિત્વ હોવા છતાં તેના પાછલા ભાગની જેમ ઉપકરણે ન્દ્રિયની અપેક્ષા તો રહે જ છે. પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી યુક્ત છેદન કરવા માટે સમર્થ તલવારની ધારની જેમ શકિત રૂપ ઈલાયદી ઈન્દ્રિયનો સ્વીકાર કરે જોઈએ. અથવા નિવૃત્તિ હોવા છતાં પણ શક્તિને ઉપઘાત થવાથી ઈન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. આથી નિવૃત્તિ રૂપ શ્રવણાદિ સંજ્ઞાવાળા દ્રવ્યન્દ્રિયની વિદ્યમાનતાંક જે અનુપઘાત અને અનુગ્રહના દ્વારા ઉપકારક થાય છે તેને ઉપકરણેન્દ્રિય કહે છે ઉપકરણેન્દ્રિયના બે ભેદ છે-બાહ્ય અને આત્યંતર જયાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય છે. ત્યાં ઉપકરણેન્દ્રિય હોય છે. તે તેનાથી ભિન્ન ભાગમાં રહેતી નથી હવે ઈન્દ્રિયેનો આકાર કહેવામાં આવે છે સ્પશને ન્દ્રિયને આકાર કેઈ એક નિશ્ચીત નથી તેના આકાર વિવિધ પ્રકારનાં હોય છે. રસનેન્દ્રિયને શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy