________________
ગુજરાતી અનુવાદ સાકાર અને અનાકાર ઉપગનું નિરૂપણ સૂ. ૧૬
સાકારે પગ ઉપરોકત પ્રમાણે મતિજ્ઞાનપગ વગેરે આઠ પ્રકાર છે.
અનાકાર, દશનપગ ના ચાર ભેદ છે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આધિદશન કેવળદર્શન તેના ભેદથી ચક્ષુદશને પગ, અચક્ષુદશને પગ, અવધિદર્શને પગ અને કેવળદેશને પગ.
પ્રજ્ઞાપના સૂત્રના ઓગણત્રીસમાં પદમાં કહ્યું છે :ભગવાન ! ઉપગ કેટલા પ્રકારના કહ્યા છે ? જવાબ:-ઉપયોગ બે પ્રકારના કહ્યા છે.-સાકારો પગ અને અનાકારોપયેગ. પ્રશ્ન-ભગવદ્ ! સાકારઉપગ કેટલા પ્રકારના છે ?
જવાબઃ—ગૌતમ ! સાકારે પગ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે મતિજ્ઞાને પગ, શ્રુતજ્ઞાનોપયેગ, અવધિજ્ઞાને પગ મન:પર્યવજ્ઞાનેપગ, કેવળજ્ઞાનોપયોગ, મતિઅજ્ઞાનેપગ, મૃતઅજ્ઞાનપગ તથા વિર્ભાગજ્ઞાને પગ.
પ્રશ્ન–હે ભગવન ! અનાકારોપયોગ કેટલા પ્રકારનાં છે ?
ઉ–ગૌતમ! તે ચાર પ્રકારનાં છે. જેવાકે–ચક્ષુદર્શને પગ, અચક્ષુદશને પગ, અવધિદર્શનપગ અને કેવલદને પગ. આ ૧૬
___ इदियं पंचविहं મૂલાર્થ ઈન્દ્રિય પાંચ પ્રકારની છે કે ૧૭ છે
તત્વાર્થદીપિકા –આની પહેલાં જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન ઉપગ કહેલ છે. તે ઉપયોગ સંસારી જીને ઇન્દ્રિયો દ્વારા જ ઉત્પન્ન થાય છે. આથી તેને ભેદ બતાવતા ઇન્દ્રિયની પ્રરૂપણ કરીએ છીએ
ઈન્દ્રિય પાંચ છે. ઈન્દ્ર અર્થાત્ આત્મા દ્વારા જે અધિષ્ઠાયુકત હોય અથવા ઈન્દ્ર નામકર્મ દ્વારા જેની રચના કરવામાં આવી હોય અથવા ઈન્દ્ર કહેતા આત્માનું જે ચિત-લિંગ હોય તેને ઈન્દ્રિય કહે છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્ર અર્થાત્ જીવ જે કે સ્વભાવથી જ જ્ઞાનમય છે પરંતુ આવરણના કારણે જાતે અર્થોને ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી પદાર્થોને ગ્રહણ કરવામાં જે મદદરૂપ-નિમિત્ત હોય તે ઇન્દ્રિય છે. આ રીતે ઈન્દ્ર-જીવનું લિંગ હોવાથી ઇન્દ્રિય કહેવાય છે.
અથવા-છૂપાયેલા પદાર્થ (આત્મા) ને જે જ્ઞાન કરાવે છે તેને ઈન્દ્રિય કહે છે. આત્મા અતિ સૂક્ષ્મ છે તેનું અસ્તિત્વ ઇન્દ્રિયની દ્વારા જ જાણી શકાય છે. જેવી રીતે ધુમાડો અગ્નિ વગર ન હોવાથી જ અગ્નિને જાણવા માટે કારણ હોય છે તે જ રીતે સ્પર્શન વગેરે કરણ કર્તા અર્થાત્ આત્માના જ્ઞાપક હોય છે, કેમકે જે સ્પર્શન આદિ કરણ છે તે કર્તા જરૂર હોવો જોઈએ ! ર્તાના અભાવમાં કરણ હોતું નથી. આ રીતે સ્પર્શનાદિ કરણથી કર્તા-આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે.
સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રના ભેદથી ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે. અત્રે ઉપયેગનું પ્રકરણ હોવાથી પરિકલ્પિત વાક (વચન), પાણિ (હાથ) પાદ (પગ) પાયુ (ગુદા) અને ઉપસ્થ (મૂત્રેન્દ્રિય) ને ઈન્દ્રિય માનવામાં આવતા નથી. અહીં જ્ઞાનના કારણે નેજ ઈન્દ્રિય કહેવામાં આવે છે. મન અનિન્દ્રિય છે કે ૧૭ છે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧