SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને मुत्ता अणेगविहा तित्थसिद्धाइया. મૂલસૂવાથ–મુકતજીવ તીર્થસિદ્ધ આદિના ભેદથી અનેક પ્રકારના હોય છે. તત્વાર્થદીપિકા–સંસારી અને મુક્તના ભેદથી બે પ્રકારના જીનું કથન કરવામાં આવ્યું છે તેમાંથી અહીં મુકતજીવોનું સ્વરૂપ કહીએ છીએ-સમસ્ત કર્મોનો ક્ષય રૂ૫ મેક્ષને પ્રાપ્ત થવાવાળા મુકત જીવ અનેક પ્રકારના છે. તે આ મુજબ છે.–તીર્થસિદ્ધ અતીર્થસિદ્ધ આદિ નન્દીસૂત્રના ૨૧ સૂત્રમાં કહેલા છે. આ રીતે અનન્તરસિદ્ધ પરમ્પરા સિદ્ધ આદિ ભેદ પણ જાણી લેવા જોઈએ ૧૩ તત્વાર્થનિયુકિત-સંસારી અને મુકતના ભેદથી બે પ્રકારના જેમાં સંસારી જીની આઠ સૂત્રોમાં પ્રરૂપણ કરેલ છે. હવે કર્મપ્રાપ્ત મુક્ત જીવેનું પ્રતિપાદન કરવામાં છે– સઘળા કર્મોના ક્ષયરૂપ મોક્ષ મેળવનારા છે મુક્ત કહેવાય છે તે અનેક પ્રકારના છે. એમા અનન્તરસિદ્ધ જીવ પંદર પ્રકારના છે–(૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ () અતીર્થંકરસિદ્ધ (૫) સ્વયંબુદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ (૭) બુદ્ધબધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરૂષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થતિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ. આ ભેદ નન્દીસૂત્રના ૨૧ માં સૂત્રમાં કહેલ છે, એને અર્થ સુપષ્ટ છે. તીર્થકર દ્વારા તીર્થની સ્થાપના થઈ જવા પર જેઓ સિદ્ધ થાય તેઓ તીર્થસિદ્ધ કહેવાય છે. વળી કહ્યું પણ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી જીવ ઉપર નિર્વાણ તરફ જાય છે. જેવી રીતે બળતણ બળી જવાથી અને નવું બળતણ ન મળવાથી અગ્નિ નિર્વાણને પ્રાપ્ત કરે છે તેમ. માસૂ૦ ૧૩ કાવત્ર છ જવા ઈત્યાદિ મૂલાથ-જીવના છ ભાવ હોય છે. ઔદયિક પશમિક, શાયિક, મિશ્ર (ફાયોપથમિક) પરિણામિક અને સાન્નિપાતિક પસૂ૦ ૧૪ તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી અને મુકતના ભેદથી તથા સૂક્ષ્મ-બાદર સમનસ્કઅમનસ્ક વગેરેના ભેદથી જીવોનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે તે જીનાં સ્વરૂપભૂત ઔદયિક વગેરે છ ભેદની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–બોધમય ઉપયોગવાન જીવના તીર્થકરેએ છ ભાવ કહ્યા છે. (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષાયિક (૪) મિશ્ર (ક્ષાયોપથમિક) (૫) પારિણામિક અને (૬) સાન્નિપાતિક. જીવની ભવન અથવા થવા વાળી પરિણતિને ભાવ કહે છે. દ્રવ્યક્ષેત્ર કાળ, ભાવના નિમિત્તથી કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે. જેવી રીતે પાણીમાં કાદવનું ઉભરાવું. એ રીતે કર્મોદયથી ઉત્પન્ન થવા વાળો ભાવ ઔદયિક ભાવ કહેવાય છે. આત્મામાં કમની શક્તિને કારણવશ અનુભવ છે તે ઉપશમ કહેવાય છે જેવી રીતે ફટકડી વગેરે દ્રવ્યના ઉપગથી પાણીમાં કચરાનું તળીયે બેસી જવું. - કર્મોનું કાયમ માટે શાન થઈ જવું તે પથમિક છે. જેવી રીતે કાચ વગેરે પાત્રમાં સ્થિત અગર વાદળમાં સ્થિત પાણીમાં મેલને અત્યંત અભાવ હોય છે. તેમ કર્મોને સર્વથા નાશ થે એ ક્ષાયિક ભાવ છે. બંને અવસ્થાઓનું મિશ્રણ મિશ્ર અગર ક્ષયોપશમ કહેવાય શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy