________________
કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધર્મસૂત્રને પ્રચાર કરે છે. મુસ્લિમ લાકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પણ અનેક ભાષાઓમાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પિસા પર મોહ ઉતારી ભગવાન નના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવાં જોઈએ. અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુને વધુ વેગ મળે તે માટે સક્રીય પ્રયત્ન કરવાં જોઈએ આવા પવિત્ર કાર્યમાં સાંપ્રદાયિક મતભેદ સૌએ ભૂલી જવા જોઈએ અને શુધ્ધ આશયથી થતા શુધ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ. સમિતિના નિયમાનુસાર રૂ. ૨૫૧] ભરી સમિતિના સભ્ય બનવું જોઈએ. ધાર્મિક અનેક ખાતાઓને મુકાબલે સૂત્ર પ્રકાશનનું જ્ઞાન પ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણાવવું જોઈએ.
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમ–ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પણ આપણે હર હંમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાંતિ અને જીવન સિદ્ધિ મેળવી શકાય (સ્થા. જન તા. ૫-૭-૫૬) શ્રી. અ. ભા. . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિનાં પ્રમુખ શ્રી વગેરે.
રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાન્ત-શાસ્ત્રવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના પુનિત પગલાં થયાં છે ત્યારથી ઘણા લાંબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણીય કર્મનાં પડળ ઉતારવાને શુભ પ્રયાસ થઈ રહ્યો છે અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યાં છે તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામને જનતા લાભ યે છે મને તે સમજાય છે કે સાધુજી છઠું ગુણસ્થાનકે જ હોય છે. પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત્ત માત્ર પાંચ-સાત સાધુઓ. જે સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તે સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે. સમજાકાશમાં સ્થા. જૈન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે પણ વો દિન...
શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને હારી એક નમ્ર સૂચના છે કે–પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનને શરમાવે તેવી છે. તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમાં ઘણું શારીરિકમાનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે. તે કોઈ યોગ્ય સ્થળ કે જ્યાંના શ્રાવકે ભક્તિવાળા હેય. વાડાના રાગને વિષથી અલિપ્ત હેય એવા કેઈ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રબંધ કર જોઈએ. બીજા કઈ એવા સ્થળની અનુકૂળતા ન મળે તે છેવટે અમદાવાદમાં યોગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારું હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી યાદ આપું છું. ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકોને મારા અભિનંદન પાઠવું છું તે સ્વીકારશે.
લિ. સદાનંદી જૈનમુનિ છોટાલાલજી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧