SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સુબઈની એ કાલેજના પ્રફેસરાના અભિપ્રાય. મુંબઇ તા. ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠે શાંતિલાલ મગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત વે. સ્થા. જૈન શાોધ્ધાર સમિતિ, રાજકાઢ. પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દેશવૈકાલિક આવશ્યક, ઉપાસકઇશાંગ વગેરે સૂત્રે અમે જોયાં. આ સૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતર પણ આપવામાં આવ્યાં છે, સંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાંતર જોતાં આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પર એકસરખા અસાધારણ પ્રભુત્વની સચાટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથામાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વત્તા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાન્તરમાં ભાષાની શુધ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિદ્વજન અને સાધારણ માણસ ઉભયને સાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રેામાંથી હજુ ૧૩ સૂત્રેા પ્રગટ થયાં છે. બીજા છ સૂત્રેા લખાઈને તૈયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્રેા જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર~સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી. આચાર્યશ્રી આ મહાન કાર્યને જૈન સમાજને—વિશેષતઃ સ્થાનકવાસી સમાજના સ ́પૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. પ્રે. રમણલાલ ચીમનલાલ શાહ સેટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, પ્રેો. તારા રમણલાલ શાહ. સેસિયા કાલેજ, મુંબઈ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કાલેજના પ્રોફેસરના અભિપ્રાય. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ જયમહાલ જાગનાથ પ્લેટ રાજકાટ તા. ૧૮-૪-૫૭ પૂજ્યાચા ૫૦ મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈનસમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયેગી થઇ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક. શ્રી વિપાકશ્રત
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy