SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1579
Loading...
Download File
Download File
Page Text
________________ ભકત બન્યા હતા તેથી તેઓ જ્યારે જ્યારે ધ્રાંગધ્રા પધારતા ત્યારે તેઓ મહારાજશ્રીની સેવા માટે અમદાવાદથી ધ્રાંગધ્રા અચૂક પહોંચી જતાં. સ્વ. શ્રીયુત જીવરાજભાઈને જીવનમાં ડોકીયું કરતા જણાય છે કે તેઓનું સમગ્ર જીવન જૈન ધર્મના સુપ્રસીદ્ધ ધર્મગ્રંથના અધ્યયન વાંચન મનન અને તેના રહસ્યનું ગ્રહણ કરવામાં ર... પચ્યું રહેતું હતું તેમણે પિતાના આ દુર્લભ-જીવન અને નશ્વર શરીરને ધર્માચરણ તથા–સ્થાનકવાસી–જૈન ધર્મોપાસક સાધુ સાધ્વીજીઓની નિઃસ્વાર્થ સેવામાં જ સમર્પિત કર્યું હતું આશરે દશેક વર્ષથી એમણે અમદાવાદને જ પિતાનું નિવાસ્થાન બનાવ્યું હતું. જીવનમાં છેલ્લી વખતે જ એમને હૃદયરોગની મોટી બીમારી લાગુ પડી હતી. તે બીમારીને લીધે–તેની મહાદના હેવા છતાં સમાધિ પૂર્વક ત્રણ માસ પર્યન્ત તેને સામને કરીને સં. ૨૦૧૭ના ધર્મમય એવા ચાતુર્માસના ભાદરવા વદ-૭ સાતમ અને ૧૯૬૦ના એકટોબરની પહેલી તારીખે સ્વર્ગસ્થ–થયા આ રીતે તેમને પ્રાદુર્ભાવ-જન્મ અને તિભાવ-મરણ બને ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાંજ થયેલ છે. તેઓ બાલ્યકાળથી જ ધર્મારાધનમાં પ્રવૃત્ત થયા હતા અને તેથી ધર્મારાધનમાં તેઓ એક–અઠંગ વેગીની જેમ મરણની છેલ્લી ઘડી પર્યત જરા પણ ડગ્યા વિના અવિચળ રહ્યા હતા એમનું ધર્માચરણ એટલું બધુ શુદ્ધ દઢ નિયમિત હતું–જીવનના છેલ્લા દિવસે પણ એમણે સામાયિક અને પ્રતિ કમણ છોડયું–નહી આ તેમના જીવનની ઉર્ધ્વગામિતાને પ્રત્યક્ષ પુરાવે છે. એમનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ પવિત્ર અને અધ્યાત્મમય હતું કે એમને પિતાના અંતકાળની જાણ અગાઉથી થઈ ગઈ હતી એટલે એમના સુપુત્રને આ માહિતી સવારથી જ તેમણે આપી દીધી હતી અને પોતે સ્વસ્થતા જાળવી રાખીને નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ સંપૂર્ણ સભાન અવસ્થામાં કર્યું હતું અને આ રીતે આ ધર્મપરાયણ જીવે ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતે. આજીવન ધર્મોપાસક તરીકે પંકાએલ તથા અનેક પાઠ વ્રત નિયમ જ્ઞાન ધ્યાન–તપ અને પચખાણેથી જીવનને ઉર્ધ્વગામી બનાવનાર યશસ્વી પુણ્યશાળી શ્રી જીવરાજભાઈ પ્રત્યે ધ્રાંગધ્રાના સ્થાન જન-મેટા સંઘને પહેલેથીજ ખૂબ માન શ્રદ્ધા અને પૂજ્ય ભાવ હતા તેથી એ સંચિત લાગણી વ્યક્ત કરવા ખાતર સંઘે તેઓશ્રીનું ઘણું જ સન્માન અને ગૌરવ કર્યું હતું. તેઓ પિતાના ધર્મકર્મ અને પવિત્ર આચરણને જગતમાં પ્રવર્તાવવા ખાતરજ પિતાની પાછળ એક ધર્માત્મા એવું વિશાળ કુટુમ્બ મુક્તા–ગયા છે જેઓને સામાન્ય પરિચય નીચે મુજબ છે. જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy