________________
શ્રી ઉપાસકદશાંગ સૂત્રને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસલાલજીએ બનાવેલ સંસ્કૃત છાયા તથા ટિકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત.
પ્રકાશક-અ. ભા. ૩. સ્થાનકવાસી જૈન શાસ્ત્રો કાર સમિતિ, ગરેડીઆ કુવા રેહ, શ્રીન લોજ પાસે, રાજકેટ. (સૌરાષ્ટ્ર). પણ ૬૧૬ બીજી આવૃત્તિ એવડું મોટું) થઇ. પાકું પુછું. જેકેટ સાથે સને ૧૯૫૬. કિંમત ૮-૮-૦.
અપણા મૂળ બાર આંગ સૂત્રોમાંનું ઉપાસકરશાંગ એ સાતમું અંગસૂત્ર છે, એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે -શ્રાવકેનાં જીવનચરિત્રો આપેલાં છે, જેમાં પહેલું ચક્ષત્ર આનંદ શ્રાવકનું આવે છે.
આનદ શ્રાવકે જેનધર્મ અંગીકાર કર્યો અને મારી વાત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા-પ્રત્યાખ્યાન લીધાં તેનું સવિસ્તર વર્ણજ આવે છે. તેના અંતર્ગત અનેક વિષ જેવા કે, અભિગમ, લેકાવારૂપ, નવતત્વ, રિક, દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત, અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે.
આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અરિહૃત શબ્દ આવે છે. મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહંતનું ચય (પ્રતિમા) એ કરે છે. પણ તે અર્થ તદ્દન ખોટે છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબંધ પ્રમાણે તેને એ ખેાટે અર્થ બંધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને રિહંત ચારૂં નો અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે.
આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાંત ' તે શ્રાવકોની અદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેનાં વર્ણન ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ, રાજ્યવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે.
એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ, એટલું જ નહિ, પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ. ' પુસ્તકની શરૂઆતમાં વર્ધમાન શ્રમણ સંઘના, આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સંમતિપત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકના સંમતિ આપેલા છે, તે સૂત્રમાં પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે.
જૈન સિદ્ધાંત” જાન્યુઆરી, ૧૭