________________
ર૭
સૂત્રોને પ્રચાર કરે છે. મુસ્લીમ લોકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પણ અનેક ભાષાઓમાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પિસા ઉપરનો મોહ ઉતારી ભગવાનના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવાં જોઈએ, અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયતને કરવા જોઈએ. આવા પવિત્ર કાર્યમાં સાંપ્રદાયિક મતભેદો સૌએ ભૂલી જવા જોઈએ અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ. સમિતિના નિયમાનુસાર રૂ. ૨૫૧ ભરી સમિતિના સભ્ય બનવું જોઈએ. ધાર્મિક અનેક ખાતાંઓના મુકાબલે સૂત્ર પ્રકાશનનું-જ્ઞાનપ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણાવું જોઈએ.
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમ–ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પણ આપણે હરહંમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાન્તિ અને જીવનસિદ્ધિ મેળવી શકાય. (સ્થા. જૈન તા. પ-૭–૧૬) શ્રી. અ. ભા. શ્વે. સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિના પ્રમુખશ્રી વગેરે.
રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ ઉપર જ્યારથી શાન્ત–શાઅવિશારદ અપ્રમાદી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજનાં પુનીત પગલાં થયાં છે ત્યારથી ઘણું લાંબા કાળથી લાગૂ પડેલ જ્ઞાનાવરણીય કર્મનાં પડળ ઉતારવાનો શુભ પ્રયાસ થઈ રહ્યો છે. અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમે સર્વને ધન્ય છે, અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામોને જનતા લાભ લ્ય છે. મને તે સમજાય છે કે સાધુજી છઠે ગુણસ્થાનકે હોય છે. પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત્ત માત્ર પાંચ-સાત સાધુએ જે સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તે સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે. સમજાકાશમાં સ્થા. જૈન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે પણ વો દિન...”
શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને હારી એક નમ્ર સૂચના છે કે–પુજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનોને શરમાવે તેવી છે. તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમાં ઘણી શારીરિક, માનસિક અને વ્યાવહારિક મુશ્કેલી વેઠવી પડે છે. તે કોઈ યોગ્ય સ્થળ કે ત્યાં શ્રાવકે ભકિતવાળા હોય, વાડાના રાગના વિષથી અલિપ્ત હોય એવા કેઈ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સ્થિરતો કરી શકે એના માટે પ્રબંધ કરવું જોઈએ. બીજા કોઈ એવા સ્થળની અનુકૂળતા ન મળે તો છેવટ અમદાવાદમાં યંગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારૂં. હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી યાદ આપું છુ. ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકોને મારા અભિનંદન પાઠવું છું તે સ્વીકારશે.
લિ. સદાનંદી જેનમુનિ છોટાલાલ જી.