________________
२०
દશવૈકાલિક સૂત્ર વિગેરે સૂત્રો જોયાં. તે સૂત્રે સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષા એમાં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનને ઘણું જ લાભદાયક છે. તે વાંચન ઘણુંજ સુંદર અને મને રંજક છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અગાધ પુરુષાર્થથી કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રો સમાજને ઘણું લાભનું કારણ છે.
હંસસમાન બુદ્ધિવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરું છું કે આ સૂત્રો પોતપોતાના ઘરમાં વસાવવાની સુંદર તકને ચૂકશે નહિ. આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રો મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યમાં આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જેવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
લી. શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય.
બરવાળા સંપ્રદાયનાં વિદુષી મહાસતીજી મોંઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધંધુકા તા. ૨૭–૧-૫૬ શ્રીમાનશેઠ શાન્તીલાલ મંગળદાસ પ્રમુખ અ. ભા. ૩. સ્થા. જનશાસ્ત્રોદ્ધારસમિતિ મુ. રાજકોટ.
અત્રે બિરાજતા ગુ. ગુ.ના ભંડાર મહાસતીજી વિદુષી મોંધીબાઈ સ્વામી તથા હીરાબાઈ આદિ ઠાણ બને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધમ ધ્યાન કરશોજી એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજનાં રચેલાં સૂત્રો ભાઈ પોપટલાલ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં. તે સૂત્રો તમામ આઘોપાંત વાંચ્યાં, મનન કર્યા અને વિચાર્યા છે. તે સૂત્રો સ્થાનક્વાસી સમાજને અને વીતરાગમાર્ગને ખૂબજ ઉન્નત બનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાયરૂષથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હંસ સમાન