________________
૨૪
તથા અનેક અનુભવી મહાનુભાવોએ પિતાની પસંદગીની મહેર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવસીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ એ. એ પિતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સંમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પંડિતની અને નાણાંની–પિતાની પાસેના ફંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કેન્ફરન્સ પિતાની ફરજ માને છે અને જે કાંઈ ત્રુટી હાય તે ૫. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઈ. બતાવીને સુધારવા પ્રયત્ન કરે. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કંઈપણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણું કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
(સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૧૬)
સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જન સિદ્ધાંતના તત્રીશ્રી
શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય.
શ્રી સ્થાનકવાસી શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં લાવી તેમની પાસે બત્રીસે સૂત્ર તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામોદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલે ત્યારે શેઠશ્રી દામોદરદાસભાઈએ તેમનાં એક પત્રમાં મને લખેલું કે–
“આપણા સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કઈ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મેં મુનિ શ્રી
ઘાસીલાલજીને પસંદ કરેલા છે.” શેઠ શ્રી દામોદરદાસભાઈ પિતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શીક્ષા વાંચન લેતા, તેમ જ્ઞાન ચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમાં
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર