________________
२४
કરી શાસ્ત્રોદ્ધારક પૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરીરાદિને સશકત અને દીર્ઘાયુ રાખે જેથી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે અસ્તુ.
ચાતુર્માસ સ્થળ લીખડી
સ. ૨૦૧૦ શ્રાવણ વ૪ ૧૩ ગુરૂ
}
*
શ્રી વર્ધમાન સપ્રદાયના પૂજ્યશ્રી પુનમચંદ્રજી મહારાજના અભિપ્રાય
અમદાવાદ તા. ૨૨-૪-૫૬ રવીવાર મહાવીર જ્યંતિ
શાસ્ત્રવિશાદ પૂજ્ય
આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમા ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમા ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગોરવ વધાર્યુ છે, આગમા ઉપરની તેમની સંસ્કૃતટીકા ભાષા અને ભાવની ષ્ટિએ ધણી જ સુંદર છે. સંસ્કૃતરચના મા. તેમજ અલંકાર વગેરે ગુણૢાથી યુક્ત છે. વિદ્વાનાએ તેમજ જૈન સમાજના આચાર્યાં, ઉપાધ્યાય વગેરે એ શાસ્રો ઉપર રચેલી આ સંસ્કૃતરચનાની કદર કરવી જોઇએ. અને દરેક પ્રકારના સહકાર આપવા જોઈએ.
લી.
સદાનદી જૈનમુનિ છોટાલાલજી
આ મહાન કાર્યમાં પંડિતરત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે. તેમનુ' આગમ ઉપરની સ ંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથકાર્ય શીઘ્ર સફળ થાય એજ શુભેચ્છા સાથે.
}
સુનિ પુનમચંદ્રજી
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
*
ખભાત સપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીના અભિપ્રાય
લખતર તા. ૨૫-૪-૫૬
શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મગળદાસભાઈ. પ્રમુખ સાહેબ અખિલ ભારત વે॰ સ્થા॰ જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ સુ. અમદાવાદ
અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ, વિ. મા. આપની સમિતિદ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેખ જે સૂત્રેાનુ કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રામાંથી ઉપાસકદશાંગસૂત્ર, આચારાંગસૂત્ર, અનુત્તરાપપતિકસુત્ર