________________
૩૦૫ આપનારી છે. શુકલધ્યાની મહાત્માને એ દ્રઢ નિશ્ચય સ્વાભાવિક રીતે થાય છે. આ સંસારના અનંત જીવે અનંત પુદગળ પરાવર્તન રૂ૫ ભ્રમણ ક્રિયામાં પડીને, વિભાવરૂપ (પુગળિક સુખ રૂ૫) વિચિત્રતામાં પડી જાય છે. એ સ્થિતિની પ્રતિષ્ઠાયા શુકલધ્યાની મહાત્માના શુદ્ધ આત્મામાં સ્વાભાવિક રીતે પડે છે. એવા જ્ઞાનવાળા અપ્રતિપાતિ (કદી ન પડે તેવા) ધ્યાનમાં શુકલયાની સદા મગ્ન રહે છે. - ચતુર્થ પત્ર-વિપરિણુમાનુપ્રેક્ષા. * * વિપરિણુમાના –આ વિશ્વરૂપી ઉદર ૩૪૩ રાજુ છે. તે જડ અને ચેતન પદાર્થોથી સંપૂર્ણ ભર્યું છે. એ વિશ્વમાંનાં પુદુગળો ક્ષણે ક્ષણે વિકાસ પામે છે. જેમ કુંભાર માટીના પિંડમાંથી સારાં, નરસાં, મેટાં, નાનાં, અનેક પ્રકારનાં વાસણે બનાવે છે, તેમ પુદગળના સમુહમાંથી મનુષ્ય અને પશુ જેવાં જૂદા જૂદા આકારનાં વાસણ બને છે. એ આકારેને જોઈને ઘણાં માણસે, કોઈને સારે અને કેઈને ખરાબ કહે છે એ માત્ર દ્રષ્ટિનેજ ફેર છે. બાકી રિસ આકારે એનાં એ પુદ્ગોમાંથી બન્યા છે, એમાં વસ્તુને ફેર છેજ નહિ. સર્વ લેક (= જગતું) જીવ અને અજીવથી ભરેલ છે, તેમાં જીવ અનાદિ કાળથી, અનંતપરમાણુઓના સમુહથી, અને પંચ સમવાયની પ્રેરણાથી સંગ વિયેગ પામી અનેક આકારમાં પ્રવર્તે છે. એ આકારના પુગળમાં અનંતકાળથી સામાન્યપણું અને વિશેષપણું થયા કરે છે. એ જ પ્રમાણે આખા લોકમાં રાગ, ઠેષનાં પુગળે પણ ભર્યા છે તેને સકમી ( સંસારી) છે, લેહચુંબક ને લોઢાની પેઠે ખેંચે છે. તેથીજ મિથ્યાત્તવ અને મોહની શકિત પ્રબળ થાય છે અને પરિણામમાં પ્રેમ અને દ્વેષ રૂપી અનેક સંકલ્પ વિકલ્પ થયાં કરે છે. કેઈ પર પ્રેમ આવે છે અને કઈ પર દ્વેષ થાય છે, એ બંને વસ્તુઓ એજ પુદગળનાં પરમાણુ એની બની છે. આપણું ઘર, ધન, સ્ત્રી, સ્વજન, ભષણ, મિષ્ટાન્ન