________________
૧૯૫
એક અગુરુલઘુ પર્યાયથી તે બધા દ્રવ્ય એક સરખાં છે. પુત્ર ગળ દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી ગુણમાં એક સરખાં છે. જીવ દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્ય અચેતન ગુણમાં એક સરખાં છે. સકિયગુણ, નિશ્ચયપણે તે પુદગળમાં છે પણ વ્યવહારથી તે છવમાં ગણાય છે. બાકીનાં ચાર દ્રવ્યમાં સકિયગુણ નથી. - હવે ભિન્ન ગુણેની વાત કરીએતે-છ દ્રવ્યમાંથી ચલણગુણ માત્ર ધર્માસ્તિકાયમાંજ છે, સ્થિરગુણ અધર્માસ્તિકાયમાંજ છે, વિકાસગુણ આકાશાસ્તિકાયમાંજ છે, વર્તમાનગુણુ કાળમાંજ છે, ચૈતન્ય ગુણ જીવમાંજ છે, અને મળવું વિખરવું એ ગુણ માત્ર પુગળમાંજ છે બાકીનાં પાંચ દ્રવ્યમાં નથી. આ પ્રમાણે છ દ્રવ્યમાં જે જે મૂળ ગુણ છે તે પિતપતા સ્વામીત્વમાંજ રહે છે, બાકીનામાં નહિ. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ કન્યાના ત્રણ ગુણ તથા એથે પર્યાય એ ચાર એક સરખા છે. વળી એ ત્રણ દ્રવ્યથી કેટલીક બાબતમાં કાળ પણ સમાનતા રાખે છે. ધર્મ અને અધર્મ એ અસંખ્યાત પ્રદેશી અને લેક વ્યાપી છે અને આકાશ દ્રવ્ય છે તે લેકની અપેક્ષાએ અસંખ્યાત અને અલેક ગણીએ તે અનંત પ્રદેશી અને કાલેક વ્યાપી છે. કાળદ્રવ્ય ઉપચારથી અઢીદ્વીપવ્યાપીજ ગણાય છે, કારણકે બાહ્ય કાળને આધાર ચંદ્ર સૂર્યની ગતિ પરજ રહે છે. જીવદ્રવ્ય અનંત છે, અનેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ છે, એક જીવ શરીર માત્રમાં વ્યાપક છે, અને સર્વ જીવ આશરે વાત કરી એ તે લેક વ્યાપી જીવ છે. પુદગળ દ્રવ્યના પરમાણુ અનંત છે, ' અને પ્રત્યેક પરમાણુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત છે.
છ દ્રવ્ય નિશ્ચયનયથી પિતપતાના સ્વરૂપમાં પરિણામ પામે છે. પણ દરેક દ્રવ્યને પરિણમન ગુણ તે અલગ અલગ છે, કેમકે એકજ પરિણમન ગુણ હોય તે ભિન્ન ભિન્ન દ્રવ્ય શી રીતે કહેવાય?