________________
૧૯૨
તે તેની ઈજત મહાજમાં તથા રાજ સભામાં વધે છે. ચેરી નથી કરતે તે ઘણે વિશ્વાસુ ગણાય છે. રાજ ભંડારમાં જતાં પણ કે તેને અટકાવતું નથી. બ્રહ્મચારી હોય છે તેનું તેજ, બળ, બુદ્ધિ, નિરગીપણું, સાથી વિશેષ હોય છે. મમત્વરહિત સંતોષી છે તે સદા સુખી હોય છે. “સ નંવર” અર્થાત્ સતોષીને નંદનવન સમાન સુખ હોય છે. ધન નથી છતાં મેટા મોટા મહારા જાઓથી પૂજાય છે. સાદાં અન્ન, વસ્ત્રથી નિર્વાહ કરી નિશ્ચિતપણે આત્મજ્ઞાનમાં પોતાના આત્માને રમણ કરાવે છે, અને સદા આનદમાં રહે છે. આ શુભ કૃત્યનું ફળ આ ભવમાં પ્રત્યક્ષ દેખાય છે. (૩) કેટલાંક કર્મ એવો છે કે, આ ભવમાં અશુભ કર્મ કરીએ પણ તેનાં ફળ આવતા ભવમાં મળે છે. આ ભવમાં કેટલાંક માણસો પાપ કર્મ કરતાં છતાં તેના ફળ ન ભેગવતાં ઉલટાં સુખી દેખાય છે તે સુખ તેનાં પૂર્વ ભવનાં શુભ કર્મનું ફળ સમજવું જોઈએ, અને હાલ જે કરે છે તે પાપ કર્મનું ફળ હવે પછીના ભાવમાં જરૂર જોગવવું પડશે. દ્રષ્ટાંત–પ્રથમ મીઠાઈ ખાય, પછી ડુંગળી ખાય તે પ્રથમ મીઠાઈને ઓડકાર આવશે અને તે પછી ડુંગળીને આવશે. બીજું દ્રષ્ટાંત એક પુણ્યવાન પાલખીમાં બેઠે છે અને ચાર જણ તેની પાલખી ઉઠાવે છે. પાલખી વાળે ઉતરીને ગાદી ઉપર આ બેટે છે અને ઉપાડનારા તેના પગ દાબે છે. એ પાંચ એકઠા છે છતાં પાપ પુણ્યનાં ફળ પ્રત્યક્ષ રીતે અલગ અલગ ભેગવે છે. વળી કમ ફરી જાય તે ઉઠાવનારા પાલખીમાં બેસે અને પાલખીમાં બેસનાર ઉપાડવા માંડે ! આ પાપ પુણ્યનાં ફળની પ્રત્યક્ષ વિચિત્ર રચના છે. આ રચનાથીજ પરભવનાં ફળ આ ભવમાં ભગવે છે. (૪) એ પ્રમાણે કેટલાંક એવાં કામે છે કે આ ભવમાં કરેલાં શુભ કર્મોનું ફળ આવતા ભવમાં મળે. કેટલાક ધર્માત્મા છે ને ધર્મકરણ કરતાં છતાં દુઃખી દેખીએ છીએ, ત્યારે મનમાં શંકા થાય છે કે, જે ધર્મથી સુખ થાય તે આ માણસ દુઃખી શા માટે?