________________
૧૭૩
દ્વિતીય પત્ર–નિસગ રૂચિ.” (૨). “નિસર્ગો (નિસ) રૂચિ' –-ધર્મધ્યાની પુરૂષને આ વિધાલયમાંના સર્વ પદાર્થ એવા લાગે છે કે તે જાણે પિતાને સદુબધજ કરતા હેય નહિ. શ્રી આચારાંગ શાસ્ત્રના ફરમાન મુજબ જ્ઞાની મહાત્મા આસવના સ્થાનમાંજ સંવર નિપજાવી લે છે. જેવી રીતે નિમિરાજ ઋષિએ પિતાની પ્રેમાળ સ્ત્રીઓની ચૂડીઓને અવાજ સાંભળી [ જે કિયા અન્યના સંબંધમાં કામ રાગની વૃદ્ધિ થવાનું કારણ થાય છે] તેનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયે. એવી જ રીતે ઝાડ, ખાન, પાન, વસ્ત્ર, ભૂષણ, ગ્રામ, મસાણ, રેગ, હર્ષ, શોક, વાદળાં, વિદ્યુત (વિજળી), સંયેગ, વિયેગ, નિવૃત્તિ ભાવ, એ સર્વ વૈિરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણ બની વૈરાગ્ય ઉત્પન્ન થાય તે નિસર્ગ રૂચિ, તેમજ કેટલાક જાતિસ્મરણ જ્ઞાનથી પિતાના પૂર્વના ૯૦૦ ભવ (સંજ્ઞી પંચેંદ્રિયની લગોલગ કર્યો હોય તેને) જાણે છે તેથી જન્માંતરમાં કૃતકર્મનાં ફળ ભેગવેલાં જોઈ વૈરાગ્ય પામે છે. આવાં આવાં અનેક કારણથી જેને તત્વજ્ઞાન પ્રાપ્ત
x (મિથિલા નગરીના નમિરાયજીને શરીરમાં દાહજવર થયે, તે વખતે વૈદ્યના કહેવાથી શાંતિના ઉપચાર વાતે ૧૦૮ રાણીઓ બાવનાચંદન ઘસીને શરીર પર લગાડતી હતી. તે વખતે સર્વના હાથની ચુડીઓ ભેગી થતાં તેને અવાજ ઘ થવાથી નમિરાયે કહ્યું: ‘મને આ ઘાંઘાટ સારો નથી લાગ.” એટલે તરત જ સર્વે પ્રેમી પ્રમદાએ સૌભાગ્ય ચિફ તરીકે અમે ચૂડી હાથમાં રાખી બીજી બધી ચૂડીઓ ઉતારી નાંખી. અવાજ બંધ થવાનું કારણ વિચારતાં સમજમાં આવ્યું કે “બધી ચૂડી એક સ્થાને હતી તેથીજ ગડબડ થતી હતી પણ જ્યારે એક રહી ત્યારે બધી ગડબડ મટી ગઈ. બસ! જ્યાં સુધી બધામાંજ હું ફસાયો છું ત્યાં સુધીજ હું દુખી છું. જે હું આ બંધનમાંથી મુક્ત થાઉં તે સર્વ શોક તજી સુખી બનું.” આટલું વિચારતાં તેને રોગ શાંત થયે અને તે દિક્ષા લઈ અનંત સુખ પામ્યો)