________________
આ આજ્ઞાચિય નામે ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવાથી, મિથ્યાત્વ વગેરે અનાદિના મેલને નાશ કરી ચૈતન્યને પવિત્ર બનાવવામાં તે જળની માફક કામ કરે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, રૂપ જવાળાથી બળતા જીવને શાંત કરવામાં પુષ્પરાવર્ત નામે મેઘની બરાબર છે. મેહરૂપી વનચર પશુને નાશ કરવામાં કેસરી સિંહરૂપ છે, બુદ્ધિ, વિવેક વગેરે સગુણે વધારવામાં સરસ્વતી રૂપ છે, જેગી લોકોના મનને આનંદ આપવામાં શાંત મહેલ રૂપે છે, વગેરે અનેક ગુણના સાગર રૂપી આજ્ઞાવિચયનું ચિંત્વન ધર્મ ધ્યાની હમેશાં કરે છે.
દ્વિતીય પત્ર–અપાય વિચય, गाथा-अप्पाणमेव जुझ्झाहिं, किं ते जुझ्झेण वझ्झओ।
સામેવ સરપાળ, જરૂર સુરgિ . .
અર્થ_શ્રી નમિરાજઋષિ શકેદ્રને કહે છે કે, સુખની ઈચ્છા કરનારે પિતાના આત્મામાં રહેલા દુર્ગુણોને પરાજય કરે જોઈએ. બીજાની સાથે બાહ્ય યુદ્ધ કરવાની કશી જરૂર નથી. જ્ઞાન, દર્શન વગેરેથી ભરેલા આત્માને પિતાના બાકી રહેલા કષાયરૂપ આમા સાથે યુદ્ધ કરાવવાથીજ આત્માને પરમ સુખ થાય છે.
• અપાય વિચય નામે ધર્મ ધ્યાનના બીજા પાયાનું ધ્યાન કરનાર એ વિચાર કહે છે કે મારે જીવ હંમેશાં સુખ ચાહે છે, અનંતભવથી સુખ મેળવવાને માટે તરફડીઆ મારી રહ્યો છે, અનેક ઉપાય કરતાં છતાં સંકટ આવ્યા કરે છે, કરેલી મહેનત નિષ્ફળ જાય છે, એ બધાનું શું કારણ? મારી પાસે અનંત, અક્ષય, આવ્યાબાધ સુખ રહેલ છે તેને મેળવવામાં વિશ્વરૂપ, અને મારા કરલા ઉપાયોને નિષ્ફળ કરનાર એ શત્રુ કોણ છે? વિચાર
ઉતરા૦ ૯ ગાથા ૨૫,
_K
- -
-
---