________________
જઈ રાગ અને દ્વેષ રહિત બની મધ્યસ્થ પરિણામથી વિચાર કરે કે આહા! જુઓ આ બિચારા ની કર્મ દશા કેવી ખરાબ છે! ચાર ગતિરૂપી સંસારમાં અત્યંત દુઃખ સહન કરતાં કરતાં, અનંત, પુર્યોદયથી, અનેક દુઃખથી મુકત એ મનુષ્ય જન્મ, આર્ય ક્ષેત્ર વગેરે ઉત્તમોત્તમ સામગ્રીઓ મળી છે તે આ કમનસીબ છે. વ્યર્થ ગુમાવે છે! પિતાનું બળ ને સાધન કુમાર્ગમાં વાપરે છે! સુખ મેળવવા જતાં દુઃખ પ્રાપ્ત કરે છે! કાંકરે વેચાતો લઈ ચિંતામણું રત્ન આપે છે, ઝેરના બદલામાં અમૃત દે છે અને સુધારાની જગાએ ઉલટ બગાડો કરે છે ! હે પ્રભુ! આ કુકર્મનાં ફળ ભેગવવા ટાણે બિચારા અનાથ પામર જીની શી દશા ચો! કેવી વિટંબણા પામશે! ત્યારે કે ને કેટલે પશ્ચાત્તાપ થશે! પણ આ બિચારા ને ષ છે, એને બિચારા સારું કરવાને માટેજ પ્રયત્ન કરે છે, પણ તેનાં અશુભ કર્મો તેમને સદ્દબુદ્ધિ ઉપજવા દેતાં નથી, જેવું જેવું જેનું ભવિતવ્ય –ભાવી) હોય તે પ્રમાણે બનાવ બન્યાં કરે છે વગેરે વિચારથી મધ્યસ્થપણે ઉદાસીનતા ધારણ કરે તે મધ્યસ્થ ભાવના જાણવી. - આ ચારે ભાવના ભાવતાં તથા તેમાં કહ્યા પ્રમાણે વર્તતાં દરેક છવ રાગ, દ્વેષ, વિષય, કષાય, કલેશ, મેહ વગેરે શત્રુઓને નાશ કરવાને સમર્થ થાય છે. આ ભાવના ભાવનારના હૃદયમાં ઉપર કહેલા શત્રુઓને પ્રવેશ કરવાનું સ્થાન મળતું નથી.
તૃતીય ઉપશાખા–“શુભધ્યાન સાધન”. xas-अष्टावानि योगस्य, यान्युक्तान्यार्यसूरिभिः चिचपसचिमार्गेण, बीजं स्युस्तानि मुक्तये ॥१॥
શાનાર્ણવ-સર્ગ રર-શ્લોક .