________________
[ ૩૪ ]–
–[ રહેશ્વર મહાતીર પ્રભુજીનાં ત્રણ બિબ ભરાવ્યાં. જેમાંથી એક ચારૂપ તીર્થમાં, બીજું શંખેશ્વર તીર્થમાં, અને ત્રીજું સ્તંભન તીર્થમાં હાલ મેજૂદ છે.'
આમ આ મૂર્તિની ઉત્પત્તિના વિષયમાં ભિન્ન ભિન્ન મતે જોવાય છે. પરંતુ તેને ભરાવનાર તરીકેને યશ, મારા સમજવા પ્રમાણે, વિશેષ રૂપમાં આષાઢી શ્રાવકને ફાળે જાય છે. છતાં આ મૂર્તિ ગમે તેણે અને ગમે ત્યારે ભરાવી હોય તે પણ ચાદમી શતાબ્દિમાં થયેલા શ્રીમુનિચંદ્રસૂરિ. જીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ ” (સ્ત૩); ચૌદમી શતાબ્દિમાં થયેલ શ્રીજિનપ્રભસૂરિજીએ રચેલ
શ્રીશંખપુરક૯૫” (સ્તે. ૨) અને “શ્રી શત્રુંજય માહાભ્ય” (સ્તે. ૧૭) વગેરે અનેક ગ્રંથો, ક, શલકા, છંદ, સ્તોત્ર સ્તવનાદિ ઉપરથી એ તે સ્પષ્ટ જાણી શકાય છે કે આ મૂર્તિ ઘણી પ્રાચીન અને પ્રભાવશાલી હવા સાથે ઘણે ઘણે ઠેકાણે પૂજાણી છે, તેના પ્રભાવથી ઘણું ઘણાનાં કષ્ટ દૂર થયાં છે અને ઘણું ઘણુના મારથ પૂર્ણ થયા છે.
ઈતિહાસ
ગઈ ચોવીશીમાં થયેલા નવમા શ્રીદાદર જિનેશ્વર ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું આ બિંબ ભરાવ્યા પછી પિતે ગૃહસ્થાશ્રમમાં રહ્યા ત્યાં સુધી
૧ ખંભાતને આ શિલાલેખ મારા વાંચવામાં આવ્યો નથી. જો ઉક્ત લેખ પૂરે વાંચવામાં આવે તો તેમાં આપેલી બીના માટે પાકી ખાત્રી થાય. અને તેમાંથી કાંઈક વિશેષ જાણવાનું પણ મળી શકે.