________________
[ ૧૮ ]
– રાજેશ્વર મણિી યનાં બધાં ગામે અત્યારે વિદ્યમાન છે. જે ગામનાં નામમાં શેડે ફેરફાર થયો છે, તે કેંસમાં આપેલ છે.
આ ઉપરથી જણાય છે કે તે સ્થાનની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ તથા પૂર્વ અને ઉત્તર દિશામાં જરાસંધના લશ્કરને પડાવ હતો.
જરાસંધ પ્રતિવાસુદેવ હેવાથી ભરતક્ષેત્રના લગભગ તમામ રાજાઓ અને વૈતાઢય પર્વતના વિદ્યારે પણ તેના પક્ષમાં હતા. જ્યારે શ્રીકૃષ્ણના પક્ષમાં ૫૬ કુળકેટી યાદવ, પાંડે, કેટલાક રાજાઓ અને કેટલાક વિદ્યાધર હતા. ઘણા લાંબા વખત સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી શ્રીકૃષ્ણના સૈન્ય જરાસંધના લશ્કરને પરાસ્ત કરી નાખ્યું, તેથી જરાસંધે બળથી નહીં પહોંચી શકવાથી પ્રપંચ કરીને વગર મહેનતે વિજય મેળવવાની ઈચ્છાથી તે પહેલાં સાધી રાખેલી જરા નામની વિદ્યાને શ્રીકૃષ્ણના સમસ્ત સૈન્ય ઉપર મોકલી. જરા વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણના સૈન્યના તમામ માણસો વૃદ્ધ અને રેગી થઈ ગયા. ખાધું પચે નહીં, વારંવાર જંગલ (દિશાએ) જવું પડે, કઈ પણ શસ્ત્રો ઉપાડી શકે નહીં અને કોઈ પણ લડવાની હિમ્મત કરી શકે નહીં. શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રીઅરિષ્ટનેમિ કુમાર આ ત્રણે મહાપુણ્યશાળી પુરુષ હોવાથી જરા વિદ્યાની તેમના ઉપર કશી અસર થઈ ન હતી. પ્રાતઃકાળમાં શ્રીકૃષ્ણને, પોતાના સૈન્યની આવી સ્થિતિ જોઈ, ઘણી ચિંતા થવાથી તેમણે શ્રીઅરિષ્ટનેમિકુમારને પૂછયું કે “ભાઈ ! આ શું થયું? આનું નિવારણ કરવાને ઉપાય કંઈ છે? આપણે જય કેવી રીતે થશે?