________________
પ્રકરણ ચેથું : તીર્થની ઉત્પત્તિ
આજથી ૮૭૪૦૭ વર્ષ પહેલાં શ્રી અરિષ્ટનેમિકુમાર (શ્રી નેમિનાથ ભગવાન)ના કાકા વસુદેવના પુત્ર નવમા વાસુદેવ શ્રીકૃષ્ણને રાજગૃહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંધ સાથે, દ્વારિકા નગરીથી ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં શ્રીકૃષ્ણના તાબાના દેશને સીમાડે સરસ્વતી નદીની નજીકમાં આવેલ એપલી ગામની પાસે મહાભયંકર યુદ્ધ થયું હતું. શ્રીદીપવિજયજીકૃત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શેકા (સ્તે ૪૨)ની કડી ૨૫, ૨૬, ૨૭ માં ઉડું (ડુ), પચાસર, જિંજપર (ઝીંઝુવાડા), ધામા, મેમાણું, (મેમણ), લેલાણું (લેલાડા)
૧ ટ્રીગ્નેમેટ્રીકલ સર્વેના ઈંગ્લીશ નકશામાં શંખેશ્વરની પાસે અત્યારે સેનપલી અથવા તેને ભળતા નામનું કે ગામડું નથી. ફક્ત આદરિયાણુથી ઈશાન ખૂણામાં બે માઈલ અને શંખેશ્વરથી નૈઋત્ય ખુણામાં છ માઈલ દૂર સલી નામનું એક ગામ છે. એ જ કદાચ આગળનું સેનપલ્લી હોય. અથવા તે એ સેનપલ્લી ગામને ઠેકાણે જ શંખપુર (શંખેશ્વર) નગર વસાવ્યું હેય.
૨ શ્રી પાંડવ ચરિત્ર મહાકાવ્યમાં લખ્યું છે કે શ્રીકૃષ્ણના તાબાના દેશને સીમાડે સરસ્વતી નદીના કિનારે આ મહાયુદ્ધ થયું હતું. સરસ્વતી નદી સમી ગામની નજીકમાં વહે છે. એટલે આ યુદ્ધ સમી, હારીજ અને શંખેશ્વરની આસપાસમાં થયાની ખાત્રી થાય છે. યુદ્ધના વર્ણન માટે જુઓ સ્તોત્રાંક-૧૭, ૩૩, ૪૧, ૪૨.