________________
श्रीशंकेश्वरपार्श्वनाथाय नमो नमः । श्रीमद्विजयधर्ममूरिगुरुभ्यो नमः। शर्केश्वर महातीर्थ
[મા પ્રથમ ]
પ્રકરણ પહેલું : તીર્થ
જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહેચાય તેનું નામ તીર્થ. જેમ સરવર કે નાની નદીઓ ત્રાપા કે તુંબડાથી પાર કરી શકાય છે, મોટી નદીઓ કે સમુદ્ર ઉપર બાંધેલા પુલ મારફત તેને સામે કાંઠે પહોંચી શકાય છે તેમ ભવ્ય પ્રાણીઓ જેનાથી સંસારરૂપી સમુદ્રને તરીને સામે કાંઠે અર્થાત્ મેક્ષમાં પહોંચી શકે તેનું નામ તીર્થ કહેવાય છે. તીથે બે પ્રકારનાં છે: એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થે. શ્રી તીર્થકર ભગવંતોએ સ્થાપન કરેલ ગણધર ભગવંત અને ચતુર્વિધ શ્રીસંઘ એ જંગમતીર્થ છે, જ્યારે ચોવીશે તીર્થકર ભગવંતેનાં પાંચે કલ્યાણકની ભૂમિએ, તીર્થકર મહારાજાઓનાં ચરણકમળથી પવિત્ર થયેલી