________________
પ્રકરણ સોળમું : વહીવટ અને વ્યવસ્થા
વહીવટ–
સિકાઓ પહેલાં શંખેશ્વર ગામમાં શ્રાવકની ઘણી વસ્તી હતી, અને જ્યારે શંખેશ્વર ગામમાં મોટા મોટા સૂરિવર્ષે અનેક મુનિરાજે સાથે ચોમાસા કરતા હતા, તે સમયમાં કેટલાક સૈકાઓ સુધી આ તીર્થને વહીવટ શંખેશ્વર ગામને જ સંઘ કરતો હશે, એમાં શક નથી. પછી મુસલમાની લડાઈઓના જમાનામાં અહીંની જેમ વસ્તી લડાઈઓ વગેરેના ભયને લીધે નાસી જવાથી ઘટી ગઈ હશે, ત્યાર પછી આ તીર્થને વહીવટ, નજીકમાં આવેલા પાટણ શહેરના સંઘના હાથમાં ગયે હોય તે ના નહીં. પરંતુ તે માટે કેઈ ગ્રંથ કે શિલાલેખનું પ્રમાણ મને મળ્યું નથી. ત્યાર પછી આ તીર્થનો વહીવટ શંખેશ્વર, રાધનપુર સ્ટેટનું ગામ હાઈને તથા રાધનપુરમાં જેનેની વસ્તી ઘણી જ હોવાથી, રાધનપુરના સંઘને સૈપાયો અને ઘણાં વર્ષો સુધી તેમના હાથમાં રહ્યો. આ તીર્થને વહીવટ રાધનપુરના સંઘને જ્યારે સૈપાય? તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી. પરંતુ છેલ્લાં લગભગ દોઢ સો વર્ષોથી અહીંને વહીવટ રાધનપુરના સંઘના હાથમાં હતો એ તો ચોક્કસ વાત છે. કેમકે “ટાંકાવાળી ધર્મશાલાના વિ. સં. ૧૮૩૬ અને ૧૮૫૪ ના શિલાલેખ (લેખ નં. ૫૯ ૬૦)માં તથા નવા દેરાસરના મુખ્ય દરવાજાની બહારની (શૃંગારચોકીની) ડાબી બાજુની દીવાલમાં ચહેલા