________________
યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના
સામાન્ય નિયમો ૧. તીર્થસ્થાનમાં જઈ તીર્થનાં દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં
ખૂબ તલ્લીન થવું. ૨. તીર્થસ્થાનમાં સ્નાત્રપૂજા, અભિષેક, માટી પૂજા, આંગી,
વરઘોડા તથા અઠ્ઠાઈ મહોત્સવ આદિ યથાશક્તિ કરવું,
અને કરાવવું. ૩. ગુરુમહારાજને હંમેશાં વંદન કરવું. ૪. તીર્થ નિમિત્તે ઓછામાં ઓછા એક ઉપવાસ કરવો. ૫. સચિત્ત લેજનને ત્યાગ કરવો. ૬. રાત્રિભોજન તથા અભક્ષ્યને ત્યાગ કરવો. ૭. બ્રાહ્મચર્યનું પાલન કરવું. ૮. ભૂમિશયન કરવું. ૯. શક્તિ અનુસારે વ્રત-નિયમો લેવાં અને તેનું પાલન કરવું. ૧૦. જ્ઞાનદાન, સુપાત્રદાન તથા અનુકંપાદાન આપવું. ૧૧. સધમી બંધુઓની ભક્તિ કરવી. ૧૨. સવારે તથા સાંજે પ્રતિકમણ, સામાયિક, કાત્સર્ગ
તથા ધ્યાન કરવું. ૧૩. તીર્થની અશાતના ન કરવી. ૧૪. પર્વતિથિએ પૌષધ કરવો. ૧૫. અવકાશના વખતે સારાં સારાં પુસ્તકો વાંચવાં. ૧૬. સાત વ્યસન તથા ચાર વિકથાને ત્યાગ કરે. ૧૭. જીવદયાનું રૂડી રીતે પાલન કરવું.