________________
મંદિરને મસ્જિદ બનાવી દેવામાં આવ્યું છે. બે ધર્મશાળાઓ, પાઠશાળા વગેરે ધર્મસ્થાને વિદ્યમાન છે.
- શત્રુંજય તીર્થ તથા શંખેશ્વર મહાતીર્થમાં જનારા છરી પાળતા. જૈન સંઘે મુંજપુર થઈને જતા હતા. - આ રીતે જેનેની દષ્ટિએ મુંજપુર ગામની મહત્તા હતી. સં ૧૯૬૬ની સાલમાં અહીં જૈન શ્રાવકોનાં ૧૦૫ ઘરમાંથી ૭૧ ઘર ખુલ્લાં ‘હતાં. આજે અહીં કુલ ૧૫ ઘર છે. તેમાં શેઠ ગોદડભાઈનું ઘર મુખ્ય ગણાય છે.
અહીં ૧ શ્રી શાંતિનાથ ભ૦ અને ૨ શ્રીગેડી પાર્શ્વનાથ ભવનું એમ બે દેરાસરે છે. ૧ શ્રી શાંતિનાથ ભ૦ નું દેરાસર
શેઠ ગોદડભાઈના મકાન પાસે જ શ્રી શાંતિનાથ ભ૦ નું દેરાસર આવેલું છે. આ દેરાસર બે માળનું અને ઘૂમટબંધી છે. દેરાસરમાં ઠેર ઠેર નકશી કરેલી છે. મૂળ ના. નું પબાસન દેવ-દેવીઓ સાથેનું કારીગરીવાળું છે. મૂળ ના ની છત્રી તથા તોરણ નકશીવાળાં છે. દેરાસરના રંગમંડપમાં સાત તેરણ છે તેથી આ “સાત તોરણવાળું મંદિર” કહેવાય છે. રંગમંડપના થાંભલા તથા છતના પથ્થરે નકશીવાળા છે. વચ્ચે એક છે. તેની ચારે દિશામાં એકેક તોરણ છે. એ પ્રત્યેક તરણુમાં પાંચ—પાંચ તીર્થકરોની મૂર્તિઓ છે. ચારે થાંભલાની મળીને ૨૦ મૂર્તિઓ છે, તે વીશ વિહરમાનની મૂર્તિઓ ગણાય. દેરાસરની અંદર નિસરણી પાસેને દરવાજે આખાયે કેરણભર્યો છે.
મૂળ ગભારામાં (૧) મૂળ ના. શ્રી શાંતિનાથ ભ૦ ની સુંદર મૂર્તિ વિરાજમાન છે. તેની પાસે (૨) શ્રી પાર્શ્વનાથ ભટ ની મૂર્તિ છે તે જ ઝેટીંગા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ હતી. સત્તરમા સૈકા સુધી એ મૃતિ મૂળનાયકના સ્થાને બિરાજમાન હતી. તેને આ રીતે ક્યારે