________________
પ્રકાશકનું નિવેદન
જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શાન્તસૂતિ મુનિરાજ શ્રી જયન્તવિજયજીના નામથી હવે વિદ્ધ જગત ભાગ્યે જ અજાણ્યું હશે.
તેમની પ્રૌઢ લેખિનીથી લખાયેલ (૧) “સિદ્ધાન્તરનિકાનું ટિપ્પણ, (૨) વિહારવર્ણન, (૩) “આખું ગુજરાતીની નાની-મોટી એ આવૃત્તિઓ, (૪) “બ્રાહ્મણવાડા), (૫) હેમચંદ્રવચનામૃત', (૬) “શ્રીઅબ્દ-પ્રાચીન–જૈન-લેખસંદેહ', (૭) “શંખેશ્વર મહાતીર્થ' વગેરે મહત્વના ગ્રંથ, તથા તેમણે સંપાદિત કરેલ “શ્રીઉત્તરાધ્યયનસૂત્ર' ( કમલસંયમી ટીકાયુક્ત ) તથા “અભિધાનચિન્તામણિ” કેશની અકરાનુક્રમણિકા વગેરે અમૂલ્ય ગ્રંથ અગાઉ છપાઈ ચૂક્યા છે. ત્યારપછી તેમને આ સુંદર ગ્રંથ પ્રકટ કરતાં અમને ખૂબ આનંદ થાય છે.
શ્રીઅચલગઢ એ પ્રાચીન અને મહત્ત્વનું તીર્થ છે. ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રીજયન્તવિજયજીએ આ પુસ્તક દ્વારા આ પ્રાચીન તીર્થનું શુદ્ધ અને ઐતિહાસિક દષ્ટિએ સુંદર વર્ણન કરી તેની મહત્તામાં વધારો કર્યો છે. અતિ પરિશ્રમ લઈને શેધ-બળપૂર્વક તૈયાર કરેલ તેમને આ ગ્રંથ પુરાતત્ત્વવેત્તાઓ, વિદ્વાને અને તીર્થ પ્રેમીઓમાં આદરપાત્ર થઈ પડશે તેમાં શંકા નથી. વળી આ તીર્થ સંબંધી ૧૬ છબીઓ, સુંદર છપાઈ પાકું બાઈડીંગ અને સુંદર જેકેટને લીધે આ પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મને હર બની છે. આવા સુંદર ગ્રંથને પ્રકટ કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રીજયંતવિજયજીના આભારી છીએ. '