________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ છપ્પનમી
|| દોહા ||
કેવલી કહે સુણ રાય, હરિચંદ્ર હરખે કરી; જે પૂજે જિન પાય, શિવસુખ પામે તે સહી. ૧ પૂજે પૂરે હાથ, જે જિનને જોપે કરી; મુગતિવધૂ મન સાથ, ધ્યાન સદા તેહનું ઘરે. ૨ ઉલટ આણી ઉર, જિન પૂજે જુગતે સદા; પામે તે સુખ પૂર, દુરગતિને દૂરે કરે. ૩ સુંદર ફળ શ્રીકાર, ઉત્તમ વૃક્ષના ઉપના; નેહેશું નરનાર, જિનવર આગે જે ઘરે. ૪ સફળ ફળે સુખવેલી, ફળપૂજાના ફળ થકી; ગુણગાયે તસ ગેલી, અમરવધૂ ઉલટ ધરી. ૫ શુકયુગલ શિવવાસ, વળી વનિતા જિમ દુર્ગંતા; વારુ લીલ વિલાસ, પામ્યા ફળપૂજા થકી. ૬ ઉલટ આણ તું અંગ, વિજયચંદ્ર કેવળી કહે; સાંભળી મનને રંગ, કથા તેહની તુજને કહ્યું. ૭
ભાવાર્થ : ગ્રંથકર્તા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ પોતાની કવિત્વ શક્તિથી પરમાત્માની પૂજાના ફળનું વર્ણન કરતાં અષ્ટપ્રકારી પૂજાનું શું ફળ પ્રાપ્ત થાય ? તે અંગે ફરમાવી રહ્યા છે કે, પરમાત્માની પૂજા અવિચલ એવા શાશ્વતસુખને વિના વિલંબે પ્રાપ્ત કરાવે છે. તાત્કાલિક ફળ સ્વરૂપે હંમેશાં પૂજકનું મન પ્રસન્નતાનો અનુભવ કરે છે. જો પરમાત્માનું માત્ર દર્શન પણ ક્રોડો ભવના એકત્રિત કરેલા પાપોનો નાશ કરે છે, તો પૂજાનું તો પૂછવું જ શું ? કહેવાય છે
દર્શનાત્ દુરિતધ્વંસી, વંદનાત્ વાંછિત પ્રદ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનસાક્ષાત્ સુરન્નુમ
દર્શનથી દુરિત નાશ પામે છે. વંદનથી વાંછિત સુખ આપનાર છે. પૂજાથી જીવ ઋદ્ધિસમૃદ્ધિથી પરિપૂર્ણ થાય છે.
૩૦૨