________________
SિSSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
S S S 13 ઢાળ આડત્રીસમી
| દોહા // સાધુ દોચ કો તિણે સમે, એષણિક લેવા આહાર; અનુક્રમે આવ્યા વિચરતા, લીલાવતી ઘરદ્વાર. ૧ મન હરખે લીલાવતી, દેખી મુનિવર હોય; સપરિવારશું સાધુને, વિનયશ વંદે સોય. ૨ ધર્મલાભ દેઈ કહે, વૃદ્ધ મુનિ તિણી વાર; સાંભળ તું લીલાવતી, ધર્મ તણો અધિકાર. ૩ લીલાવતી વળતું વદે, પદ વંદી સુવિશેષ; કહો સ્વામી કરૂણા કરી, ધર્મ તણો ઉપદેશ. ૪. પાવન જેણે થઈ એ પ્રભ, સફળ થાયે અવતાર;
મચા કરી મુજ ઉપરે, ભાખો તે સુવિચાર. ૫ ભાવાર્થ તે સમયે બે અણગાર ઔષણિક આહાર લેવા વિચરતા અનુક્રમે લીલાવતીને ઘરે આવ્યા. (૧)
તે મુનિવરને જોઈને મનમાં હરખાઈને લીલાવતી સપરિવાર સાધુને વિનયપૂર્વક વંદન કરે છે. (૨) | મુનિવરે પણ લીલાવતીને ધર્મલાભ દીધો અને તેમાં જે મોટા મુનિવર હતાં તેમણે કહ્યું કે, હે લીલાવતી ! ધર્મનો અધિકાર સાંભળ. (૩)
તે સાંભળીને લીલાવતી મુનિવરને નમસ્કાર કરીને વિશેષ પ્રકારે કહેવા લાગી કે હે સ્વામી ! કરૂણા કરી ધર્મ તણો ઉપદેશ કહો. (૪).
કે જેથી અમે પાવન થઈએ અને જન્મને સફળ કરીએ માટે મારા પર મહેર કરીને મને ધર્મશ્રવણ કરાવો. (૫)
(રાગ સારંગ - મલ્હાર - શ્રી યુગમંધર વિનવું હો લાલ - એ દેશી) સુણ દેવાનપ્રિયે હવે હો લાલ, ઈમ કહે અણગાર, લીલાવતી. વારંવાર એ દોહિલો હો લાલ, માનવનો અવતાર, લીલાવતી.
નરભવ લાહો લીજિયે હો લાલ. નર૦ ૧