SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચોવીસમી ZSZSZAKSZ || દોહા ।। ચંદન ચરચતા દેખીને, કુમર કહે ક્રોધાંધ; અમેધ્ય લગાવો એહને, ન ઘટે એહને સુગંધ. ૧ અશુચિતણા સંજોગથી, શીતલ થાશે અંગ; મધ્ય તાપ ટલશે તિણે, કુમર કહે ઈમ રંગ. ૨ યક્ષ જઈ કહે કુમરને, જો તું છાંડ્યો વજ્ર; તો પણ તાત મટે નહીં, સાંભળ તું સુવચન્ન. ૩ દેવ ધર્મ ગુરુ માત-પિતા, એ તીન હોવે એક; તેહશું અનીતિ ન બોલીયે, તાત શું કેહી ટેક. ૪ જનક પ્રત્યે કહે યક્ષ તે, મેલ તું મન સંતાપ; ક્રોધ કરે છે કેહશું, એ બેટો તું બાપ. ૫ જન્મ જાતિ મુખ જોઈને, વનમાં વાસ્યો જેહ; એ ઓળખજે આજ તું, ઈમ કહીને ગયો તેહ. ૬ યક્ષને વચને જનકને, ઉપનો અતિ ઉત્સાહ; અંગે જાણે અમૃત ઢળ્યો, દૂર ગયો દુઃખદાહ. ૭ મૂકી મનનો આમળો, પહેલાં પ્રણમી પાય; ખમાવે ખંતે કરી, જનક પ્રતિ તે જાય. . ભાવાર્થ : જ્યારે વજ્રસિંહરાજાને અંતરમાં દાહજ્વર ઉત્પન્ન થયો છે. ત્યારે સર્વલોકો ચંદનનું વિલેપન કરી રહ્યાં છે. તે જોઈને ક્રોધાંધ બનેલો કમલકુમાર કહેવા લાગ્યો કે, એને સુગંધી વિલેપન યોગ્ય નથી. તેને તો અમેધ્ય (વિષ્ટા)નું વિલેપન કરવું જોઈએ. (૧) વળી કુમાર મનના આનંદ સાથે કહેવા લાગ્યો કે, અશુચિના વિલેપનથી એનું અંગ શીતલ થશે. અને મધ્યનો તાપ પણ તેનાથી જ શાંત થશે ! (૨) એ પ્રમાણે કુમારને બોલતો જોઈ ‘યક્ષ’ કુમારને સમજાવવા લાગ્યો કે, હે કુમાર ! બાળપણે તને તાતે વનમાં મૂકાવી દીધો, તેથી કંઈ એ તારા પિતા મટી જતાં નથી ! (૩) ૧૩૫.
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy