________________
પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો – (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ.
ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।।
ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ...
ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।।
ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ.
ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा ।
ભૂમિ પર ચંદનનાં છાંટણૉ કરવાં. (૪) મંત્રસ્નાન ઃ વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે.
ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां झवी वी अशुचिः शुचिर्भवामि स्वाहा।। આ મંત્ર બોલી સર્વાગે ભાવથી સ્નાન કરવું.