________________
કરનાર ભાગ્યશાળીઓએ સુંદર રંગ રંગીન પૂજાનાં વસ્ત્રો, ભવ્ય મુગટ, કુંડલ, બાજુબંધ હાથે ફૂલના ગજરા અને ગળામાં આભૂષણો તથા માળાઓ પરિધાન કરવી. બહેનોએ પણ સુંદર વસ્ત્રો તથા આભૂષણો મુગટ આદિથી સજ્જ થવું. સાક્ષાત્ ઈન્દ્ર અને ઈન્દ્રાણીઓ સમાન તૈયાર થવું. પૂજન ચાલુ થાય ત્યારે ક્રમશઃ ઘડાઓ સાથે વાજતે ગાજતે વાજિંત્રોના ૬૨ નાદ સાથે રૂમઝુમ કરતાં નૃત્ય કરતાં કરતાં આવવું. • પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી ઘડા નીચે મૂકી દઈ સુગંધી પાણીથી ભરેલા કળશો હાથમાં લઈ ઉભા રહેવું. • વિધિકાર શ્લોક બોલે થાળી વાગે પછી નૃત્ય કરવા પૂર્વક એકી સાથે મસ્તક ઉપરથી અભિષેક કરવો. • દશદિકપાલનો પાટલો તથા પૂજનની સર્વ સામગ્રી સુંદર રીતે ગોઠવવી. પૂજનની સર્વ સામગ્રી ઉપર ગુરૂભગવંત પાસે વાસક્ષેપ કરાવવો. ૦વાસ ચોખા તથા સોનાપાણી છાંટી શુદ્ધિ તથા રક્ષા કરવી. પંડિત વીર વિજયજી કૃત સ્નાત્ર પૂજા ભણાવી પૂજન ચાલુ કરવું.
अथ पूजनम् પેજ નં. ૧ થી ૫ મુજબની આધવિધિ કરવી.
સૌ પ્રથમ દશ દિકપાલોને આહ્વાન કરી એક એક શ્લોક દ્વારા પૂજન કરવું ત્યારબાદ ભવ્યા રીતે ૨૪ અભિષેક કરી વિવિધોપચારી પૂજા કરવી.