SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પૃહાવીય સ્વાધ્યાય સાહસ્રનું સ્વાગત શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ - સ્વરૂપ, પરમતારક, ભવાદપિતારક મહામંત્ર શ્રી નવકારમંત્રના અલૌકિક મહિમાને વર્ણવતો અને બ્રહ્મચર્ય વ્રતના પાલનથી થતા આત્મ-લાભને આલેખતો કાવ્ય ગ્રંથ એટલે સુરસુંદરીનો રાસ. શીલ-સદાચારને દઢ નિષ્ઠાથી વળગીને જીવનારા આત્માને કેટલી અને કેવી આકરી કસોટીઓ તથા યાતનાઓમાંથી પસાર થવું પડે છે; અને ક્યારેક તો આ યાતનાઓ કેટલી બધી મર્માન્તક અને જીવલેણ હોઇ શકે છે અને છતાં દેઢ નૈષ્ઠિક આત્મા કેવો ઘોર વીર્ષોલ્લાસ ફોરવીને કેવો હેમખેમ એ યાતનાઓમાંથી બહાર નીકળી જાય છે, તેની હૈયાને હલબલાવી મૂકે અને ભલભલાને થીજાવી મૂકે તેવી કથા એટલે મહાસતી સુરસુંદરીના જીવનની કથા. આપણા જૈનશાસનની એક જાણવા જેવી ખૂબી છે. જૈન ઇતિહાસમાં નહિ પરણેલ અને બાલબ્રહ્મચારિણી જ રહેલ મહાસતીઓનો મહિમા અને નામોલ્લેખ મળે છે ખરો, પરંતુ તેના કરતાં પરણેલ હોય અને પોતાનું સઘળું જીવન (સાંસારિક જીવન) મન-વાણી-કાયાથી પતિવ્રતા ધર્મના અણીશુદ્ધ આરાધનામાં જ વીતાવ્યું હોય અને મનથી જ નહિ, પણ સ્વપ્નમાં પણ પરપુરુષ તરફ આકર્ષાઇ ન હોય, તેવી શીલવંત મહાસતી શ્રાવિકાઓનો મહિમા અને નામ-યાદી ઘણી મોટી જોવા મળે છે. આ સૂચવે છે કે બ્રહ્મચર્ય મહત્ત્વનું છે, પરંતુ નિષ્ઠા તો તેથીયે અનેકગણી અગત્યની છે. સીતા, દ્રૌપદી, કુંતી, શીલવતી, દમયંતી, મૃગાવતી, સુલસા, ઋષિદત્તા, અંજના, પ્રભાવતી, રૂક્ષ્મણી – આવાં તો અઢળક નામો જૈન ગ્રંથોમાં મળે છે કે જેઓ પરિણીત હોય, ઘરસંસારી જ હોય અને છતાં જેમની ગણના મહાસતી તરીકે થતી હોય અને બહુશ્રુત ગુરૂ ભગવંતો પણ જેમનાં ગુણ ગાવામાં પોતાને કૃતાર્થ અનુભવતા હોય. આનું એક માત્ર કારણ સ્વધર્મ-પાતિવ્રત્યમાં અડોલ-અડગ નિષ્ઠા અને સાથે સાથે એવી જ દઢ ધર્મશ્રદ્ધા. મહાસતી સુરસુંદરી આવી જ એક શ્રદ્ધાવંત અને અડગ નિષ્ઠાવંત શ્રાવિકા છે. આ મહાસતીનું ચરિત્રાલેખન અત્યંત રસપ્રદ, રોચક, ઘટનાસભર અને ક્યારેક તો કરૂણ પણ છે. આ ચરિત્ર પ્રાકૃત ભાષામાં તો પ્રખ્યાત છે જ. પરંતુ બાળ જીવોના ઉપકાર ખાતર આપવા અમર યશનામી કવિરાજ શ્રી વીર વિજયજી મહારાજે, પંડિત શ્રી શુભવીરે, એ ચમત્કારિક કથાનકને સરળ છતાં ગંભીર એવા 'રાસ' રૂપે ગુજરાતી ભાષામાં ઢાળ્યું છે, જે એમનો મોટો ઉપકાર છે.
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy