________________
વિદ્યાબલથી હો કે, બહુ ઉચ્છાહ ધરે, રાણી રીઝવવા હો કે, શુકમાં સંચરે; દ્વિજ-રુપ-નૃપને હો કે, મંત્રી, સંચ કર્યો, તવ નિજ કાયા હો કે, પ્રેમે રાય વર્યો. ૧૮ શુકને મારી હો કે, નરપતિ રાજ્ય ગ્રહો; જુઓ ષક હો કે, દુઃખ વૈદેશ લહયો, ખે ચરપતિ એ હો કે, એ વાર્તા કહી; સુરસુંદરી હો કે, તે ચિત્તમાં ગ્રહી. ૧૯ દૃષ્ટ જોતાં હો કે, બિહુ કેતુક ઘણાં; પ્રેમે પામ્યો હો કે, નિજ પૂર બિહું જણાં, ઘર ઘર તોરણ હો કે, બાંધ્યા મોદ ભરે, સુરસુંદરીજી હો કે, પુરમાં સંચરે. ૨૦ નિજ ઘર લાવ્યા હો કે, તસ બહુમાન કરી, દેખે ભોજાઇ હો કે, નણંદ આણંદ ભરી; અંગો અંગે હો કે, ભેટે . તે ઘણું, દરિસણ પામ્યો હો કે, પુણ્ય તુમ તણુ. ૨૧ સુરસુંદરીનો હો કે, ઉત્તમ રાસ ભણ્યો, પુણ્ય અખંડે હો કે, ત્રીજો ખંડ સુયો; ઢાલ એ ત્રીજી હો કે, શ્રોતા ચિત્ત ધરો,
શુભ ચિને કરી હો કે, તસ બહુમાન કરો. ૨૨ ભાવાર્થ
રાજા પ્રત્યક્ષ પાપના ઉદયનો અનુભવતો, જંગલની વાટે ચાલી નીકળ્યો. બ્રાહ્મણ રુપે રાજા કર્મની ગતિને વિચારતો માર્ગને કાપી રહ્યો છે. કોઈ નગરમાં જઈ ભિક્ષા માટે રખડીને આજીવિકા ચલાવીશ. કાં તો કોઈ મજુરી મળી જાય તેવું પણ કોઈ કામ કરવાની વિચારણાએ, ભગવાનને યાદ કરતો, આજે એકલો અટૂલો જઈ રહ્યો છે. કર્મની ગતિ ન્યારી છે. તેને કોઈ પણ પીછાણી શકતું નથી.
હવે આ બાજુ લીલાવતી નગરમાં રાજમહેલમાં નકલી રાજા મનમાની મિજબાની ઉડાવી રહ્યો છે. વિષયાસકતા બનેલો રાજા અંતેપુરમાં જાય છે. ત્યાં પટ્ટરાણીએ રાજાનું બહુમાન-સ્વાગત કર્યું. ત્યારબાદ રાણી પૂછવા લાગી, હે ” મહારાજ! તમારો મિત્ર કુન્જ કયાં ગયો?રાજા બોલ્યો - હે પ્રિયે! અમે બંને જંગલમાં સાથે ફરવા ગયા હતા.વનવગડાનું મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૩૯