________________
સવંદન સમર્પણ...
જેઓશ્રી અત્યંત જાગ્રત હતા, સંયમ જીવનના વિશુદ્ધ પાલનમાં... જેઓશ્રી ભયભીત હતા, પ્રમાદના સેવનમાં...
જેઓશ્રી વ્યથિત હતા, સંયમ જીવનમાં લાગતા અતિચારોમાં... જેઓશ્રી નાડ પરીક્ષક હતા, સમુદાયના નાના-મોટા સાધ્વી વૃંદના... જેઓશ્રીનું વ્યસન હતું, ગ્લાન - તપસ્વી બાલ સાધ્વીના વૈયાવચ્ચમાં... જેઓશ્રી પાપભીરૂ હતા, રખેને કોઇની ભાવહિંસા થઇ ના જાય
જેઓશ્રી કઠોર હતા જિનાજ્ઞાના પાલનમાં...
જેઓશ્રી નિર્યામણામાં અવ્વલ હતા, સાધકના અંત સમયની સમતા સમાધિ ટકાવી રાખવામાં...
એ મમ અનંતોપકારી પૂજ્યપાદ કમળપ્રભાશ્રી મહારાજ સાહેબના કરકમળોમાં આ ગ્રંથ સાદર સમર્પિત કરું છું.
એ ઉપકારોમાંથી યત્કિંચિત્ અનૃણી બની કૃતકૃત્યતા અનુભવુ છું.
-ગુરૂકૃપાકાંક્ષી