________________
કારમી ચીસ પાડી ઉઠયા. પણ કરે શું? હાથી તો સુંદરીને ઉછાળીને સાગરમાં મસ્તી કરવા પડયો. લોકો બોલી રહ્યા છે કે રે આ પાપી હાથીએ નિરપરાધી અસહાય બાઇને હણી નાખી.
તે વેળાએ પરદેશી કોઇ એક વહાણ કિનારે લંગર નાખી ઉભેલું હતું અને તે અહીંથી ઉપડવાની તૈયારીમાં હતું. વિદાય લઇ રહેલા આ વહાણના લંગર ઊઠી ગયા, સઢ ચઢી ગયા. પવન અનુકૂળ હતો. ખારવાઓએ માછલાં પકડવા જાળ વહાણ ઉપર બાંધી રાખેલ. હવામાં ગોથા ખાતે સુંદરીનો દેહ એ જાળપર પડયો.જો જાળ ન હોત તો સતીના શરીરના ટુકડા થઈ ગયા હોત. પણ સતીને કેટલા દુઃખ વેઠવાના છે તે તો કોણ કહી શકે? વહાણ તે ગતિમાન થઇ ગયું હતું. ઘબાક કરતો અવાજ આવતાં વહાણમાં રહેલાં સૌ કોઈ ચમક્યાં જાળમાં કોઈ સ્ત્રી આવીને પડી છે. ખારવાઓએ જાળને સાચવીને છોડી સ્ત્રીને નીચે ઉતારી. સુર તો બે પાન હતી. માલિકની આજ્ઞાથી દાસીઓ સતીની સેવા કરવા લાગી.
જ્ઞાની ભગવંતો કહે છે કે પૂર્વસંચિત કર્મ કઠોર અને જો ચીકણા હોય અને જ્યારે તે ઉદયમાં આવે છે અર્થાત એ કર્મ કોપે ચડે છે ત્યારે માનવી પામર બની જાય છે માટે કહે છે હે માનવ! કયારે ય અભિમાન ન કરીશ. કર્મ આગળ કોઇનું ય ચાલતું નથી. કર્મનાવશથકી પ્રાણી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ તે શું કરી શકે?
ઢાળ આઠમી (ધન ધન તે દિન માતરો, અથવા કરમ ન છૂટે રે પ્રાણીયાએ દેશી) કર્મ શુભાશુભ જે કર્યા, વિણ ભોગવીએ પ્રાણ, કરમ ન છૂટે રે પ્રાણીયા, કોડ-કલ્પ પ્રમાણ;
માન મ ધરશો રે માનવી. એ- આંકણી- ૧ જિમ જગ વાછરુ, સહસ્સામાં, જનનીને વલગત; પ્રાચીન કર્મ કર્યા નિકે, તિમ કર્તાને દહંત. મા. ૨ ચક્રી સુરવર જિનવર!, માધવ ને બલદેવ; તે પણ કરમે વિડંબિયા, દૈવ અબલ નિકમેવ. મા. ૩ કરમ વિપાક કટુક દાણાં, આદિસર અરિહંત; આહાર ન પામ્યા કર્મથી, અંતરાય મહંત. મા. ૪ તપ કરતાં માયા કરી, મલ્લિ જિન અવધાર; તીર્થ કર પદ પામીયો, નારીનો અવતાર. મા. ૫ સંગમ ગોપાલે કીયો, ઉપસર્ગજ રીસ; નામે મહાવીર જગપતિ, પાડી કરમે ચીસ મા. ૬ સુરપતિ રુપ વખાણિયો, તે વિણઠો તતકાલ;
સાત રોગ ઉપના સહી, બોલે ઉપદેશમાલ. મા. ૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)