SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ રા અભુઠિઓ ખામવાની મુદ્રા ફેટા વંદન મુદ્રા (૧) પ્રથમ બે ખમાસમણા દેવા. (૨) ઈચ્છકારનો પાઠ કહેવો. (૩) કોઈ પદવીધર હોય તો એક ખમાસમણ દેવું, નહિ તો સીધુ અભુઠિઓમિ બોલવું. (૪) ફરી એક ખમાસમણ દેવું. ૦ આચાર્યભગવંતને દ્વાદશાવર્ત વંદન કરવું • ગુરૂમહારાજ રસ્તામાં મળે તો, મથએણ વંદામી કહેવું, ફેટા વંદન કરવા. • ગુરૂમહારાજ પાસે ઉપાશ્રયમાં જઈએ તો, પંચાગ પ્રણિપાત વંદન કરવા જોઈએ. ગુરૂમહારાજ પાસે રાતે જઈએ ત્યારે ત્રિકાળ વંદન કહેવાનું. ગુરૂવંદનનું ફળ તરણતારણ ભગવાનશ્રીએ કહ્યું, “ હે ગૌતમ ! જ્ઞાનવરણીય વગેરે આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય તે ઢીલા બંધનવાળા, દિર્ઘ સ્થિતિવાળા હોય તે અલ્પ સ્થિતિવાળા, તીવ્ર રસવાળા અને ઘણાં પ્રદેશવાળા બાંધ્યા હોય તેને અલ્પ પ્રદેશવાળા કરે છે અને તેથી જીવ અનાદિ અનંત સંસારરૂપી અટવીમાં લાંબો કાળ પરિભ્રમણ કરતો નથી. હે ગૌતમ ! ગુરૂવંદન કરવાથી જીવ નીચ ગોત્ર કર્મ ખપાવે છે, વિનય ગુણ ઉત્પન્ન, તીર્થંકર ભગવાનની આજ્ઞાપાલન, શ્રતધર્મની આરાધના પુન્યાનુબંધિ પુન્ય બંધાય છે. ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરે છે અને અપ્રતિહત આજ્ઞાવાળું એટલે જેની આજ્ઞા કોઈ ઉલ્લંઘી ના શકે તેવા ફળવાળુ સૌભાગ્ય નામ કર્મ બાંધે છે. નત જ ! S ( પ્રથમ ઈરિયાવહી પડિકમી ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન, ચૈત્યવંદન કરું? ઈચ્છે' એમ કહી યોગમુદ્રાએ ચૈત્યવંદન કહેવું. પછી “જંકિચિ” મિર કહી બે હાથ જોડી, નાસિકા સુધી હાથ કમળના ડોડાના આકારે ઉંચા રાખી તી “નમુત્થણ', હાથ લલાટ સુધી લઈ જઈ “જાવંતિ ચેઈઆઈ' કહી ખમાસમણ મુક્તાશુક્તિ દઈ “જાવંત કેવિ સાહુ” કહી હાથ નીચે ઉતારી “નમોડર્ત” કહી સ્તવન કહેવું. મુદ્રા 4 પછી બે હાથ લલાટે લગાડી “જય વિયરાય” કહેવું. “આભવ મખંડા” સુધી કહ્યા પછી હાથ જરા નીચે ઉતારી લેવા. પછી ઉભા થઈ “અરિહંત ચેઈઆણં, અન્નત્થ” કહી એક નવકારનો કાઉસગ્ગ કરી “નમોડર્ણત' કહી થોય કહેવી. GU
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy