SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ વિભાગ-૪ પ્રેક્ટીકલ નોલેજ ૦૬ આવશ્યકઃ આવશ્યક એટલે - અવશ્ય કરવા જ જોઈએ તે છે ૧) સામાયિક: “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન દેવસિઅ પ %મણે ઠાઉં...'' આ સુત્રથી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. તેમાંથી કરેમિ ભંતેથી નાણૂમિની ૮ ગાથાના કાઉસગ્ગ સુધી પહેલું આવશ્યક ૨) ચઉવિસત્યો: નાણંમિની ૮ ગાથાના કાઉસગ્ન પછી લોગ બોલવાનો હોય છે. તે લોગસ્સ ૨૪ તીર્થકરની સ્તુતિ એ બીજુ આવશ્યક (દેવપાલે - રાવણે પ્રભુભક્તિથી તીર્થકર નામ કર્મ બાંધ્યું) ૩) વંદન : લોગસ્સ પછી મુહપત્તી પડિલેહણ અને ર વાંદણ લેવામાં આવે છે તે ત્રીજુ આવશ્યક (શ્રીકૃષ્ણ ૧૮,૦૦૦ દ્વાદશ વર્ત વંદન કરીને નારકીનાં બંધ તોડ્યા.) ૪) પ્રતિક્રમણ : વાંદણા પછી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દે સિઅ આલોઉં'' ત્યાંથી આયરિય ઉવઝાય'' સુધી ચોથું આવશ્યક (પખી, ચૌમાસી, સંવત્સરી, પ્રતિ. ચોથા આવશ્યકમાં સમાવેશ થાય છે, (અઈમુત્તા મુનિએ દોષોનું પ્રતિક્રમણ કરતાં કેવલજ્ઞાન મેળવ્યું.) ૫) કાઉસગ્ગ : “આયરિય વિન્ઝાય'' પછી બે લોગસ્ટ, ૧-૧ લોગસ્સ કરવાના હોય છે, તે પાંચમું આવશ્યક (પ્રસન્નચંદ્ર રાજા એ કાઉસગ્નમાં થોકબંધ કર્મ ખતમ કર્યા.) ૬) પચ્ચકખાણઃ કાઉસગ્ન પછી અને સંસારદાવા પહેલા એ છવું આવશ્યક (મિલ, ચંપા શ્રાવિકાએ ૬ મહિના ઉપવાસ પચ્ચક્ખાણથી શાસનની પ્રભાવના કરી.) માનવતાનાં કાર્યો લાખો માનવતાનાં કાર્યો કરતા સમ્યગદ્રષ્ટિ આત્માની ૧ પૂજાની તાકાત વધારે અને પુણ્ય વધારે બંધાય, સમ્યદ્રષ્ટિની લાખો પૂજા કરતાં દેશવિરતિધર આત્માનું ૧ | સામાયિક વધારે તાકાતવાન અને પુણ્ય વધારે બંધાય, દેશવિરતિધર આત્માનાં લાખો સામાયિક કરતાં વિરતિધર આત્માની એક નવકારશીના પચ્ચકખાણની તાકાત વધારે અને પુણ્ય વધારે બંધાય ઉત્તરોત્તર વધુ સૂક્ષ્મ શુદ્ધિનું પુણ્ય વધારે હોય છે. અર્થાતર વિશુદ્ધિનું ફળ અને પુન્ય વધારે હોય છે.
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy