SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ O) વિભાગ-૩ જૈન તત્ત્વાદર્શ વગેરે ગ્રન્થો લખ્યા. પૂજાઓની રચના કરી. વિ. સં. ૧૯૪૭ માં પુનઃ પંજાબ પધાર્યા. વિ. સં. ૧૯૫૦ મા વિદેશમાં વીરચન્દ્ર રાઘવજીને તૈયાર કરીને સર્વ ધર્મ સભામાં મોકલ્યા અને તેમણે ત્યાં ઈગ્લિશનાં ; અનેક લેક્ટરો આપી જૈનધર્મની મહાનતા સ્થાપિત કરી. જતિસંસ્થાથી તફાવત પાડવા માટે શુદ્ધ સાધુની ઓળખાણ માટે પં. સત્યવિજયજીએ વિ. સં. ૧૭૦૯મા સાધુની પીલી ચાદર (કપડા) નું પ્રચલન કર્યું. વિ. સં. ૧૯૫૪ કા. સુ. ૩ ના જૈન શ્રેયષ્કર મંડળ દ્વારા યશોવિજયજી સંસ્કૃત પાઠશાલા (મહેસાણા) ની સ્થાપના થઈ. નૈયાયિક શિરોમણી દાનવિજયજી પંજાબી તથા રવિસાગરજી મ. ના ઉપદેશથી વેણીચંદભાઈ સૂરચંદે સ્થાપી હતી. નકવાસીની ઉત્પતિ વિ. સં. ૧૫૦૮માં ગૃહસ્થ કુંકાશાહ (અમદાવાદ - ગુજરાત) જિનમૂર્તિ માન્યતાનો સૌ પ્રથમ વિરોધ કર્યો. વિ. સં. ૧૫૩૧ માં લંકાશાહે ભાણ આદિ ૪૪ વ્યક્તિઓને આ મતની યુતિ દીક્ષા લેવાની પ્રેરણા કરી. તેમણે વ્યાપક પ્રચાર શરૂ કર્યો. ત્યારથી આ મતનું નામ લુકામત જે હમણા સ્થાનકવાસી તરીકે પ્રચલિત છે. પ્રાચીન જૈન ધર્મથી એનો શું વિરોધ હતો? તેનો નિર્દેશ, વિ. સં. ૧૫૨૫માં લખાયેલ પુસ્તક “સિદ્ધાંત ચોવીસી માં મળે છે. પરંતુ ફરીથી યતિઓએ તેની વિરોધી વાતોને સ્વીકારી લીધી. વિ. સં. ૧૭૦૯ મા લૌકાગચ્છીય યતિ લવજી ઋષિએ ક્રિયા ઉદ્ધાર કરીને લૌકશાહની માન્યતાની વૃદ્ધિ કરી અને તેમણે જ કાનમાં ડોરા નાખીને હંમેશા મુહપત્તિ મોઢે બાંધવાની પ્રણાલિકા શરૂ કરી. સ્થાનકવાસી મતથી ભૂધરજી મ. ના ત્રણ શિષ્યોમાંથી રૂગનાથજી મ. મધર (રાજ.) માં વિચરતા હતા. તેમને ભિખમજી નામનો શિષ્ય હતો. વિ. સં. ૧૮૦૮ મા તેણે ઢંઢક દીક્ષા લીધી હતી.
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy