SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ કર્મ-વિચાર ભાગ-૧ આત્માનાં આંદોલનો યોગ થાય છે, અને લાગણીઓના પ્રકારોતરંગો-અધ્યવસાયો ઊઠે છે. યોગના બળથી આત્મા કાર્મણવર્ગણાને ખેંચે છે, અને અધ્યવસાયની તેના પર અસર થવાથી તેના જુદા જુદા અનેક ભેદો થાય છે, તે આગળ સમજાવીશું. - આત્માની સાથે કામણવર્ગણા જે સમયથી ચોટે છે, તે જ સમયથી તેનું નામ કર્મ કહેવાય છે. અને આત્મા અને કાર્મણવર્ગણાની સાથે ચોંટવાની જે ક્રિયા તેનું નામ બંધ-કર્મબંધ કહેવાય છે. તેમાં શી શી ખૂબી થાય છે, તે હવે પછી સમજાવીશું. કર્મનો બંધ થતાં એક સમયનો વખત તો લાગે જ છે. સમય એ છેવટના અતિ સૂક્ષ્મ વખતનું નામ છે. જેનાથી ઓછો વખત હોઈ જ ના શકે. આ ભાગમાં તમે કર્મ અને તેના બંધ વિશે બરાબર સમજી શક્યા હશો? હા, જી ! કર્મ એટલે શું? અને તેનો આત્મા સાથે બંધ કેવી રીતે થાય છે ? તે અમે બરાબર સમજી શક્યા છીએ. પરંતુ, હજુ, “દુનિયામાં જણાતી વિચિત્રતાનું શું કારણ છે ?” તે અમારો પ્રશ્ન સમજયા વિનાનો બરાબર ઊભો જ રહ્યો છે. હા, એ મારા ખ્યાલમાં બરાબર છે. કર્મબંધ તમે સમજ્યા છો, એટલે મને તે સમજાવવું અને તમારે સમજવું ઘણું જ સહેલું પડશે. તે બહુ જ આનંદની વાત છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy