________________
૭૨ કર્મ-વિચાર ભાગ-૧
આત્માનાં આંદોલનો યોગ થાય છે, અને લાગણીઓના પ્રકારોતરંગો-અધ્યવસાયો ઊઠે છે. યોગના બળથી આત્મા કાર્મણવર્ગણાને ખેંચે છે, અને અધ્યવસાયની તેના પર અસર થવાથી તેના જુદા જુદા અનેક ભેદો થાય છે, તે આગળ સમજાવીશું. - આત્માની સાથે કામણવર્ગણા જે સમયથી ચોટે છે, તે જ સમયથી તેનું નામ કર્મ કહેવાય છે. અને આત્મા અને કાર્મણવર્ગણાની સાથે ચોંટવાની જે ક્રિયા તેનું નામ બંધ-કર્મબંધ કહેવાય છે. તેમાં શી શી ખૂબી થાય છે, તે હવે પછી સમજાવીશું.
કર્મનો બંધ થતાં એક સમયનો વખત તો લાગે જ છે. સમય એ છેવટના અતિ સૂક્ષ્મ વખતનું નામ છે. જેનાથી ઓછો વખત હોઈ જ ના શકે.
આ ભાગમાં તમે કર્મ અને તેના બંધ વિશે બરાબર સમજી શક્યા હશો?
હા, જી !
કર્મ એટલે શું? અને તેનો આત્મા સાથે બંધ કેવી રીતે થાય છે ? તે અમે બરાબર સમજી શક્યા છીએ. પરંતુ, હજુ, “દુનિયામાં જણાતી વિચિત્રતાનું શું કારણ છે ?” તે અમારો પ્રશ્ન સમજયા વિનાનો બરાબર ઊભો જ રહ્યો છે.
હા, એ મારા ખ્યાલમાં બરાબર છે. કર્મબંધ તમે સમજ્યા છો, એટલે મને તે સમજાવવું અને તમારે સમજવું ઘણું જ સહેલું પડશે.
તે બહુ જ આનંદની વાત છે.