________________
પાઠ ૧૪મો
અધ્યવસાય : ભાગ રજો
અધ્યવસાયસ્થાનકો લાગણીઓની તરતમતા-અધ્યવસાયસ્થાનકો]
બસ, ચાલો હવે વાત કરતાં બહુ વખત ગયો. આપણો વિષય આગળ ચલાવીએ.
જો કે વાતમાં કેટલીક વખત ગયો છે, છતાં એ વાત આપણને આજના વિષયમાં ઉપયોગી થાય તેમ છે. વિદ્યાર્થી બંધુઓ !
ચંદ્રકુમાર સાઇકલ મેળવવાની આશામાં, ને સાઇકલ મળી ગયા પછીના હર્ષાવેશમાં ખુશી ખુશી થઈ ગયા હશે ખરું કે નહીં ?
હા, જી ! ખરેખર એમ જ.
વિભુ સાઇકલ લઈ ગયો, સાઇકલ તોડી નાંખી, આ વગેરે પ્રસંગે ચંદ્રકુમારની દશા કેવી થઈ ગઈ હશે?
સાહેબ ! તે હકીકત ચંદ્રકુમારે આપણને હમણાં જ સંભળાવી. તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે, તે વખતે ચંદ્રકુમાર ઘણા જ નારાજ થઈ ગયેલા હતા. વિભુ ઉપર તેને સંપૂર્ણ ક્રોધ ચડેલો હતો. એકંદર પિત્તો ઊછળેલો હતો. અને મગજ ઉશ્કેરાઈ ગયેલું હતું. એમાં શક નથી.
આમ થવાનું કારણ ? ૧. આપે જ શીખવ્યું છે કે, “દરેક મનુષ્યમાં આત્મા છે, અને આત્મામાં
લાગણીઓ હુરે છે,” તેથી સંજોગોને લીધે મનુષ્યો ભિન્ન ભિન્ન